રિપોર્ટ@દેશ: ફ્લાઇટમાં પાણી પિતા મયંક અગ્રવાલની તબિયત લથડી, જાણો વધુ વિગતે

એસોસિએશનના અધિકારીએ શું કહ્યું?
 
રિપોર્ટ@દેશ: ફ્લાઇટમાં પાણી પિતા મયંક અગ્રવાલની તબિયત લથડી, જાણો વધુ  વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક 

ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનને અચાનક ફ્લાઈટમાંથી ટેકઓફ કરીને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્રિપુરા સામે રણજી મેચ રમીને મયંક તેની કર્ણાટક ટીમ સાથે અગરતલાથી સુરત જઈ રહ્યો હતો.

અચાનક તેણે ત્યાં સીટ પર રાખેલ પાણી પી લીધું. આ પછી તેની તબિયત બગડી અને તેને તરત જ ફ્લાઈટમાંથી ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે આ મામલે ત્રિપુરા ક્રિકેટ એસોસિએશને મોટો ખુલાસો કર્યો છે. તેણે ક્રિકેટરની નાજુક સ્થિતિ વિશે પણ જણાવ્યું.

જ્યારે ભારતના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે પોતાની સીટ પર પહોંચતાની સાથે જ ત્યાં રાખેલી બોટલમાંથી પાણી પીધું ત્યારે તેની તબિયત લથડી હતી. તેના મોંમાં બળતરા થવા લાગી હતી. તેને ગળામાં પણ તકલીફ થઇ રહી હતી. આ પછી, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે કદાચ તેણે જે પાણી પીધું હતું તેમાં કોઈ ઝેરી પદાર્થ હતો. આ પછી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ બાસુદેવ ચક્રવર્તીએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેણે એ પણ જણાવ્યું કે ક્રિકેટરનું આખું મોં ફૂલી ગયું હતું અને તે બોલી પણ શકતો ન હતો.

સેક્રેટરીએ કહ્યું, 'મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. તેણે પોતાની સીટ પર રાખેલી બોટલમાંથી પાણી પીધું અને તે પછી તેનું મોં બળવા લાગ્યું અને તેને ગળામાં તકલીફ થઈ. કદાચ પાણી એસિડિક હતું, તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે ખતરાની બહાર છે પરંતુ તેનો ચહેરો સૂજી ગયો છે અને તે બોલી પણ શકતો ન હતો. એક અહેવાલ અનુસાર બુધવારે હોસ્પિટલમાંથી રજા પણ મળી શકે છે. અન્ય માહિતી અનુસાર તે વર્તમાન રણજી ટ્રોફીની આગામી મેચ રમી શકશે નહીં. તે કર્ણાટક ટીમનો કેપ્ટન છે અને શાનદાર ફોર્મમાં છે. તેણે ચાર મેચમાં બે સદી પણ ફટકારી હતી.

હવે સેક્રેટરીએ તેને એસિડિક પાણી કહ્યું અને મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે પાણીની અંદર ઝેરી પદાર્થ છે. તે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 5177માં બેઠો હતો. આ બાબતે ઝીણવટભરી તપાસ બાદ જ સત્ય શું છે તે જાણી શકાશે. આ બાબતને હળવાશથી લીધા વિના એ એંગલથી પણ તપાસ કરવામાં આવશે કે કોઈએ જાણી જોઈને ક્રિકેટર સાથે આવું કર્યું છે કે કેમ. કારણ કે ફ્લાઈટમાં હાજર અન્ય કોઈ સભ્ય સાથે આવી ઘટના બની નથી.