રિપોર્ટ@દેશ: ઇઝરાયલે ગાઝાની મસ્જિદ પર ધડાધડ મિસાઈલ છોડી, 18 લોકોનાં મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં હુમલાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર હુમલાની ઘટના આવી છે, જેમાં 18 લોકોના મોત નીપજ્યા છે. એક તરફ ઈઝરાયલની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. બીજી તરફ ગાઝામાં પણ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાની એક મસ્જિદ પર રવિવારે વહેલી સવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પેલેસ્ટાઈનની હોસ્પિટલે આ અંગે મહિતી આપી છે.
લેબનનમાં ઇઝરાયલના ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે રવિવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને શરમ આવવી જોઈએ. ઇઝરાયલ તેમના સમર્થન સાથે અથવા તેમના વિના પણ જીતશે.
નેતન્યાહુએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ઇઝરાયલ હિઝબુલ્લાહ જેવા દળો સામે લડી રહ્યું છે જે આતંકવાદ ફેલાવે છે. તમામ સભ્ય દેશોએ ઇઝરાયલના સમર્થનમાં મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં રાષ્ટ્રપતિ મેક્રોન અને અન્ય પશ્ચિમી નેતાઓ ઇઝરાયલને હથિયારોના પુરવઠાને રોકવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓએ શરમ અનુભવવી જોઈએ.
આ નિવેદન બાદ મેક્રોનના કાર્યાલયે કહ્યું કે ફ્રાન્સ ઇઝરાયલનું મિત્ર છે. તે ઇઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઇઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલ સાથે જ ઉભું રહેશે.
ખરેખરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બાદમાં આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
ઇઝરાયલી સંરક્ષણ દળે શનિવારે જણાવ્યું હતું કે તેણે હિઝબુલ્લાના ઘણા કમાન્ડ સેન્ટરો, હથિયારોના ડેપો, ટનલ અને ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. IDFએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદ તેઓએ હિઝબુલ્લાહના 440 આતંકીઓને મારી નાખ્યા છે.