રિપોર્ટ@દેશ: મહાકુંભમાં ભાગદોડ બાદ રામભદ્રાચાર્યે સહિત ઘણા મહામંડલેશ્વરોએ પોતાના રથ પરત કર્યો

ઋષિમુનિઓ અને સંતો નાના-નાના ગ્રુપમાં તેમના ઈષ્ટદેવતા સાથે સંગમમાં સ્નાન કરી રહ્યા છે.
 
રિપોર્ટ@દેશ: મહાકુંભમાં ભાગદોડ બાદ રામભદ્રાચાર્યે સહિત ઘણા મહામંડલેશ્વરોએ પોતાના રથ પરત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પ્રયાગરાજ મહાકુંભનો મેલો  ચાલી રહ્યો છે. આજે મહાકુંભનો 17મો દિવસ છે. બીજું અમૃત સ્નાન મૌની અમાવસ્યા પર ચાલુ રહે છે. આજે ભાગદોડ બાદ, જગદગુરુ રામભદ્રાચાર્ય સહિત ઘણા મહામંડલેશ્વરોએ પોતાના રથ પાછા આપી દીધા છે. ઋષિમુનિઓ અને સંતો નાના-નાના ગ્રુપમાં તેમના ઈષ્ટદેવતા સાથે સંગમમાં સ્નાન કરી રહ્યા છે.

સાધુઓ અને સંતો અમૃત સ્નાન માટે રથ અને ગાડીઓમાં સંગમ તરફ પ્રયાણ કરી રહ્યા છે. મહાકુંભમાં 8-10 કરોડ શ્રદ્ધાળુ હાજર છે. RAF અને પોલીસ કર્મચારીઓ તહેનાત છે. વહીવટીતંત્રએ તરત જ અખાડાઓને અપીલ કરી - સ્નાન કરવા ન જાવ. આ પછી અખાડાના ઋષિ-મુનિઓ શિબિરમાં પાછા ફર્યા. ઋષિ-મુનિઓની બેઠક થઈ. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અખાડાઓના ઋષિ-મુનિઓ મૌની અમાવસ્યા પર સ્નાન નહીં કરે. પણ બાદમાં આજે સ્નાન કરવાનો નિર્ણલ લેવાયો હતો. નાસભાગ બાદ સંગમમાં સ્થિતિ બેકાબૂ થઈ ગઈ હતી. સંગમ સુધીનો એક માર્ગ ખાલી કરવામાં આવ્યો હતો.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે મૌની અમાવસ્યાના અવસરે સ્નાન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ખરેખરમાં, સંગમ નોજ નામ આ સ્થળના આકારને કારણે પડ્યું છે. આ સંગમ નોજને પ્રયાગરાજમાં સ્નાન માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીં યમુના અને પૌરાણિક નદી સરસ્વતી ગંગાને મળે છે. આ સ્થાન પર મોટા ભાગના ઋષિ-મુનિઓ સ્નાન કરે છે.

હવે સ્થિતિ સામાન્ય છે, તેથી અખાડાઓ ફરીથી સંગમમાં ડૂબકી મારવા જઈ શકે છે. બીજેપી સાંસદ હેમા માલિની, કથાકાર દેવકીનંદન ઠાકુર સ્નાન કરી ચુક્યા છે. સવારે 9 વાગ્યા સુધી 3.61 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે. તેમજ, અત્યાર સુધીમાં 19.94 કરોડ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. હાલમાં મહાકુંભ મેળા અને પ્રયાગરાજ શહેરમાં 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ હાજર છે. વહીવટીતંત્ર નજીકના ઘાટ પર સ્નાન કરીને શ્રદ્ધાળુઓને પરત મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે.