રિપોર્ટ@દેશ: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવરાત્રિમાં જીતના આશીર્વાદ મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ પાર્ટીની જીત થઇ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે કર્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો મળી છે.
ચૂંટણી પરિણામો આવ્યા બાદ પીએમ મોદી રાત્રે 8 વાગ્યે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું- આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર આવી છે. દરેક જાતિ અને દરેક વર્ગે અમને મત આપ્યો.
પીએમએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્યની જીત થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓની રાહ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ. હરિયાણાના લોકોએ આ વખતે કમાલ કરી બતાવી છે. મોદી પહેલા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત આભાર કાર્યક્રમમાં અધ્યક્ષ જેપી નડ્ડાએ જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો. તેમણે કહ્યું- હરિયાણામાં ભાજપની સરકાર બની, જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની વોટિંગ ટકાવારી વધી, આ મોદીના સેવા કાર્યનું પરિણામ છે.
જેપી નડ્ડા દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને સંયુક્ત સંગઠન મહાસચિવ શિવ પ્રકાશ હાજરી આપશે. આ ઉપરાંત સંજય બંડી, રાધા મોહન અગ્રવાલ, સુનીલ બંસલ, વિનોદ તાવડે, તરુણ ચુગ, દુષ્યંત કુમાર ગૌતમ, અરુણ સિંહ અને રામ રામ માધવનો પણ સામેલ થશે. આ 8 રાષ્ટ્રીય મહાસચિવોને જમ્મુ-કાશ્મીર, હરિયાણા તેમજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પાર્ટીની ચૂંટણીની તૈયારીની જવાબદારી સોંપવામાં આવી હતી.