રિપોર્ટ@દેશ: અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં તોતિંગ વધારો, ઓગસ્ટમાં થવા જઈ રહ્યા છે 6 મોટા ફેરફારો

ટ્રેન બુકિંગના નિયમો અને CKYC ના નિયમો બદલાઈ ગયા છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે 1 ઓગસ્ટ 2026 થી કોમર્શિયલ સિલિન્ડર સરેરાશ 200 રૂપિયા સુધી સસ્તો થઈ ગયો છે. જ્યારે તત્કાલ ટ્રેન બુકિંગના નિયમો અને CKYC ના નિયમો બદલાઈ ગયા છે. તો આજે વહેલી સવારે અદાણીએ પણ CNGના ભાવમાં તોતિંગ વધારો ઝીંક્યો છે.

આ ઉપરાંત 3 થી 5 ઓગસ્ટના રોજ યોજાનારી RBIની મીટિંગમાં નવા વ્યાજ દરો પર નિર્ણય લેવામાં આવશે જેની અસર તમારી EMI પર પડી શકે છે.

ઓગસ્ટમાં થવા જઈ રહ્યા છે 6 મોટા ફેરફારો…

1. અદાણી CNGના ભાવમાં ફરી વધારો થયો

અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં અદાણી કંપની દ્વારા 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 4 રૂપિયાનો CNGના ભાવમાં વધારો કરવામાં આવતા હવે CNGનો ભાવ 94.02 રૂપિયા પહોંચી ગયો છે. અગાઉ પણ અનેક વખત ભાવમાં વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકો અને CNG વાહન ચાલકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

2. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ 180 રૂપિયા સસ્તો

ફેરફાર: તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ ₹180 રૂપિયા સુધી સસ્તો કરી દીધો છે. દિલ્હીમાં તેની કિંમત ₹2930 થઈ ગઈ છે. પહેલા તે ₹3113.50 માં મળતો હતો.

અસર: કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ ઘટશે. આવી સ્થિતિમાં તેઓ ચા, નાસ્તો અને થાળી સસ્તા કરી શકે છે. લગ્નોની કેટરિંગ પણ સસ્તી થઈ શકે છે.

દેશના મુખ્ય શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત

શહેર નવી કિંમત જૂની કિંમત તફાવત

દિલ્હી ₹2738.00 ₹2930.00 ₹192

કોલકાતા ₹2872.50 ₹3081.50 ₹209

મુંબઈ ₹2691.50 ₹2885.50 ₹194

ચેન્નઈ ₹2906.00 ₹3106.00 ₹200

14 કિલોવાળા ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી

3. રેલવે: તત્કાલ ટિકિટ માટે નવી ટોકન સિસ્ટમ

બદલાવ: 1 ઓગસ્ટથી રેલવે PRS રિઝર્વેશન કાઉન્ટરો પર ભીડ ઓછી કરવા માટે ટોકન-આધારિત સિસ્ટમ લાગુ કરી રહ્યું છે. કાઉન્ટરો પરથી તત્કાલ ટિકિટ લેતા પહેલા મુસાફરોએ ટોકન લેવું પડશે.

અસર: આ નવી વ્યવસ્થાથી કાઉન્ટરો પર મુસાફરોનો વેઇટિંગ ટાઇમ ઓછો થશે. નવી સુધારેલી પ્રક્રિયા હેઠળ મુસાફરો કાઉન્ટર પરથી પોતાનું ટોકન મેળવી શકે છે. ટોકન મળ્યા પછી તેઓ તેમના ફાળવેલા સમયે આવીને સરળતાથી પોતાની બુકિંગ પૂરી કરી શકે છે.

4. RBI મોનેટરી પોલિસી: લોન EMI અને FD દરો પર અસર

બદલાવ: રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી યોજાશે. તેના નિર્ણયોની જાહેરાત 5 ઓગસ્ટના રોજ કરવામાં આવશે.

અસર: વ્યાજ દરોમાં ફેરફારની અપેક્ષા ઓછી છે, પરંતુ જો તેમાં કોઈ ફેરફાર થાય છે, તો આવનારા અઠવાડિયામાં તમારી લોનની EMI, FD રિટર્ન્સ અને લોન પર અસર થશે.

5. CKYC 2.0: દરેક નવી જગ્યાએ દસ્તાવેજો જમા કરાવવાની જરૂર નથી

બદલાવ: સેન્ટ્રલ નો યોર કસ્ટમર એટલે કે CKYC 2.0 ની નવી અપગ્રેડેડ સિસ્ટમ રોલઆઉટ થઈ રહી છે. તેનો સીધો અર્થ એ છે કે જો તમે બેંક ખાતું ખોલો છો, વીમો લો છો અથવા મ્યુચ્યુઅલ ફંડ/શેર બજારમાં રોકાણ કરો છો, તો તમારી મંજૂરીથી આ બધી કંપનીઓ એક જ સરકારી ડેટાબેઝમાંથી તમારી KYC ની માહિતી લઈ લેશે. જૂની સિસ્ટમમાં જે ખામીઓ અને ગડબડીઓ હતી, તેને સુધારીને ડેટાને વધુ સુરક્ષિત અને સચોટ બનાવવામાં આવ્યો છે.

અસર: ડેટા સિક્યોરિટી મજબૂત બનશે, અને છેતરપિંડી પર અંકુશ આવશે. હવે તમારે દરેક નવી જગ્યાએ વારંવાર તમારા દસ્તાવેજો (આઈડી અને એડ્રેસ પ્રૂફ) જમા કરાવવાની ઝંઝટ સહન કરવી પડશે નહીં.

6. ક્રેડિટ કાર્ડ અને બેન્કિંગ: બિલિંગમાં પારદર્શિતા

બદલાવ: RBI એ ક્રેડિટ કાર્ડના નિયમોને અપડેટ કર્યા છે જેથી બિલિંગમાં પારદર્શિતા વધારી શકાય. આ મુજબ, જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડનું પૂરું બિલ ભરી શકતો નથી, તો બાકી રહેલા પૈસા પર વ્યાજ લગાવતી વખતે સુવિધા શુલ્ક, પેનલ્ટી અને ટેક્સનો તેમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

અસર: આ બદલાવથી એવા ગ્રાહકોને રાહત મળશે જેઓ પૂરું બિલ ચૂકવવાને બદલે બાકી રકમને આવતા મહિના માટે આગળ વધારે છે, કારણ કે તેમના માટે વ્યાજનો ખર્ચ ઓછો થઈ જશે. સાથે જ, હિડન ચાર્જ અને મનસ્વી પેનલ્ટી પર રોક લાગવાથી બિલિંગ સિસ્ટમ વધુ પારદર્શી બનશે.