રિપોર્ટ@દેશ: કેજરીવાલને હાઈકોર્ટે જામીન આપવાનો ઈન્કાર કર્યો, કાલે સુપ્રીમમાં સુનાવણી

 કાલે સુપ્રીમમાં સુનાવણી
 
 રિપોર્ટ@દેશ: કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલાક ગુનાઓ સામે આવતા હોય છે. દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- દલીલો પર યોગ્ય રીતે ચર્ચા કરવામાં આવી ન હતી, તેથી અમે રાઉઝ એવન્યુ કોર્ટના વિવાદિત નિર્ણયને રદ કરીએ છીએ. ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓને ધ્યાનમાં લઈ શકાય નહીં. આ સંપૂર્ણપણે અયોગ્ય છે. કોર્ટે EDને જામીન અરજી પર દલીલ કરવા માટે પૂરતી તક આપવી જોઈતી હતી.

કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ EDની અરજી પર હાઈકોર્ટે 21 જૂનના રોજ ટ્રાયલ કોર્ટના આદેશ પર રોક લગાવી હતી.

21 જૂને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું હતું કે અમે 24-25 જૂન સુધીમાં ચુકાદો આપીશું. ત્યાં સુધી જામીન પર સ્ટે રહેશે. કેજરીવાલને જામીન આપવાને ગેરકાયદે ગણાવીને EDએ 24 જૂને હાઈકોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે ટ્રાયલ કોર્ટની વેકેશન બેંચ સમક્ષ જે પણ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મૂકવામાં આવ્યા હતા, બેન્ચે તેના પર ધ્યાન આપવું જરૂરી માન્યું ન હતું. આ દસ્તાવેજોમાં એવા પુરાવા છે કે કેજરીવાલ મની લોન્ડરિંગ કેસમાં અટવાયા હતા.

ED અનુસાર, દિલ્હી લીકર પોલિસીમાંથી એકઠા થયેલા કાળાં નાણાંમાં આમ આદમી પાર્ટીનો મોટો હિસ્સો હતો. વેકેશન બેન્ચે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેજરીવાલની ભૂમિકાને અવગણીને ભૂલ કરી છે.


બીજી તરફ કેજરીવાલે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજી પર સોમવારે (24 જૂન) સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે હજુ સુધી પોતાનો ચુકાદો આપ્યો નથી, તેથી તે પહેલાં કોઈ આદેશ આપવો યોગ્ય નથી. થોડી રાહ જોવી પડશે.

જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે હાઈકોર્ટ માટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવો અસામાન્ય વાત છે. સામાન્ય રીતે સ્ટે પિટિશનમાં નિર્ણય તે જ સમયે સંભળાવવામાં આવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સુનાવણી 26 જૂન સુધી ટાળી છે.