રાજકારણ@દેશ: મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, BSF બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરાવી રહ્યું છે

તેમણે કહ્યું કે જો BSF આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ (TMC) તેમનો વિરોધ કરશે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અમુક બાબતોના કારણે ગરમાવો જોવા મળતો હોય છે. કાર્યકર્તાઓ એકબીજા પર આરોપ લગાવતા હોય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) બાંગ્લાદેશી ઘૂસણખોરોને બંગાળમાં ઘૂસવામાં મદદ કરે છે. તેથી જ બંગાળમાં અશાંતિ ફેલાઈ રહી છે. આ કેન્દ્ર સરકારનો એજન્ડા છે.

તેમણે કહ્યું કે જો BSF આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે તો તૃણમૂલ કોંગ્રેસ  તેમનો વિરોધ કરશે. અમે કેન્દ્ર સરકારને આ અંગે ઘણી વખત જણાવ્યું છે. કેન્દ્ર જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. અમે કેન્દ્રને વિરોધ પત્ર પણ મોકલીશું.

બેનર્જીએ કહ્યું- ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે BSF બોર્ડર પર તહેનાત છે પરંતુ તેઓ બાંગ્લાદેશીઓને ઈસ્લામપુર, સીતાઈ અને ચોપરા બોર્ડરથી ભારતમાં ઘુસવાની મંજુરી આપી રહ્યા છે. BSF પણ મહિલાઓ પર અત્યાચાર કરી રહી છે. જો તેઓ ઘૂસણખોરોને બંગાળમાં ઘુસવા દેશે અને TMCને દોષી ઠેરવે તો આવું ચાલશે નહીં .

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે 'નર્સરી' બની ગયું છે. બંગાળ સરકારે શરૂઆતમાં બાંગ્લાદેશીઓ માટે રેડ કાર્પેટ પાથર્યું અને પછી TMC સાંસદ અભિષેક બેનર્જીએ બાંગ્લાદેશીઓના નામે રાજકારણ કર્યું. આ હાસ્યાસ્પદ છે. આ લોકોએ સમગ્ર દેશની માફી માંગવી જોઈએ.