રિપોર્ટ@ગુજરાત: 260 તાલુકા પંચાયતમાંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
260માંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખોની જાહેરાત થવા જઇ રહી છે. ક્યાંક ચિઠ્ઠી ઉછાળીને સત્તા મેળવી તો ક્યાંક બિનહરીફ ચૂંટાયા.રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે લોકોને મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની રાહ છે. જ્યારે 84 નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતનાઓના નામની થોડા દિવસ પહેલા જાહેરાત થઈ ગઈ છે. હવે આજે 260 તાલુકા પંચાયતમાંથી 133 તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર કરવામાં આવ્યાં છે. દરેક તાલુકામાં પ્રમુખોને હાર પહેરાવી અને ફટાકડા ફોડી જીતની ઉજવણી થઈ રહી છે. આગામી 25 મેના રોજ બાકી રહેલા 127 તાલુકા પંચાયતના પ્રમુખના નામ જાહેર કરવામાં આવશે.
આજે ભાવનગર, કચ્છ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, જામનગર ખેડા, આણંદ તેમજ પાટણ સહિતના જિલ્લાના તાલુકા પંચાયતના પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ જિલ્લાની સરસ્વતીમાં તેમજ જામનગરની લાલપુર તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા. બીજી તરફ ચોટીલાની તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે.
પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં સૌથી વધુ રસપ્રદ સરસ્વતી તાલુકા પંચાયત રહી હતી. સરસ્વતી તાલુકાની 24 સીટોમાંથી ભાજપ અને કોંગ્રેસના ફાળે 12/12 સીટો આવી હતી. આજરોજ યોજાયેલ પ્રમુખ ઉપ પ્રમુખની વરણીમાં ભાજપે સરસ્વતી તાલુકા પચાયત હાંસલ કરી છે. સરસ્વતી તાલુકામાં મામલતદારની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કર્યો. મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચિઠ્ઠીમાં ભાજપે સરસ્વતી તાલુકા પંચાયતની સત્તા હાંસલ કરી છે. સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી કરવામાં આવી

