રિપોર્ટ@દેશ: કઠુઆ એન્કાઉન્ટર- 3 આતંકી ઠાર, 4 જવાન શહીદ, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં અવાર-નવાર હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના રાજબાગમાં 27 માર્ચથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગોળીબારમાં 3 સુરક્ષા કર્મચારીઓ પણ શહીદ થયા હતા. આ જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના સૈનિકો છે. એક સૈનિક ગઈકાલે ઘાયલ થયો હતો અને મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
શહીદ સૈનિકોમાં તારિક હુસૈન, જસવંત સિંહ, બલવિંદર સિંહનો સમાવેશ થાય છે. ચોથા વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘાયલોને જમ્મુ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આ સૈનિકોને પેટમાં ગોળી વાગી હતી. ડીએસપી ધીરજ સિંહ અને અન્ય ચાર ઘાયલોની ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને રાજબાગના ઘાટી જુથાના વિસ્તારના જાખોલે ગામમાં લગભગ 9 આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. ગોળીબારમાં 7 સૈનિકો ઘાયલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી-ફાસીસ્ટ ફ્રન્ટ સાથે જોડાયેલા છે. શુક્રવારે સવારે સુરક્ષા દળોએ ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સેના, બીએસએફ, સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમો થર્મલ ઇમેજિંગ, ડ્રોન, હેલિકોપ્ટર, બુલેટપ્રૂફ વાહનો અને સ્નિફર ડોગ્સની મદદથી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.