રિપોર્ટ@લખનઉ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું આજે રિસેપ્શન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું આજે લખનઉમાં રિસેપ્શન છે. કુલદીપે 14 માર્ચે તેની બાળપણની મિત્ર વંશિકા સિંહ સાથે લગ્ન કર્યા હતા. ઉત્તરાખંડના મસૂરીમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં લગ્ન થયા હતા.
રિસેપ્શનમાં ICC ચેરમેન જય શાહ, ટીમ ઇન્ડિયાના કોચ ગૌતમ ગંભીર, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી સહિત 900થી વધુ મહેમાનો હાજર રહે તેવી અપેક્ષા છે. VVIP મહેમાનો માટે 4 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકારણ, ઉદ્યોગ અને મનોરંજન જગતની ઘણી મોટી હસ્તીઓ પણ રિસેપ્શનમાં હાજર રહી શકે છે.
પરિવારના નજીકના લોકોએ જણાવ્યું કે રિસેપ્શનમાં કુલદીપની IPL ટીમ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ, BCCI અને ICC સાથે જોડાયેલા અધિકારીઓ પણ હાજર રહી શકે છે. સૂત્રો અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત ઘણા VVIP મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

