નિર્ણય@દિલ્હીઃ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવા પર વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, નહીં ચાલે
કોમ્પ્યુટર પર લોગઇન વ્હોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે
Updated: Feb 26, 2026, 19:10 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 'સિમ બાઈન્ડિંગ'ના નિયમો લાગુ કરવાની 28 ફેબ્રુઆરીની ડેડલાઈન લંબાવાશે નહીં. નવા નિયમો હેઠળ મોબાઈલમાં સિમકાર્ડ ન હોવા પર વ્હોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવી મેસેજિંગ એપ્સ કામ કરશે નહીં.
કોમ્પ્યુટર પર લોગઇન વ્હોટ્સએપ પણ 6 કલાકમાં લોગઆઉટ થઈ જશે. સરકારનો દાવો છે કે એનાથી સાયબર છેતરપિંડી કરનારાઓને શોધવામાં મદદ મળશે.

