નિયમ@દેશ: 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી પર OTPની જરૂર પડશે નહીં, ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડવામાં આવશે.

ડેબિટ ટ્રાન્ઝેક્શનને લઈને મોટી રાહત આપી રહી 

 
UPI

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ભાગ્યેજ કોઇ એવું હશે જે UPI ટ્રેન્જેક્શનનો ઉપયોગ ન કર્યો હોય, હવે દેશની સેન્ટ્રલ બેંક UPI ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શનને લઈને મોટી રાહત આપી રહી છે. રિઝર્વ બેંક OTP આધારિત રિકરિંગ પેમેન્ટની મર્યાદા વધારવા જઈ રહી છે. હવે તેને 15 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી પર OTPની જરૂર પડશે નહીં. પરંતુ આરબીઆઈ આ સુવિધા અમુક ચૂકવણીઓ માટે જ લાગુ કરશે. તમામ પ્રકારની ચૂકવણીઓ માટે લાગુ પડશે નહીં. છેલ્લો ફેરફાર જૂન 2022માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેની મર્યાદા 5 રૂપિયાથી વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવી હતી.

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેરાત કરી હતી કે તેણે એડિશનલ ફેક્ટર ઓથેંટિકેશન વિના સ્પેફિક ટ્રાંજેક્શન માટે UPI ઓટો પેમેન્ટની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જાહેરાત અનુસાર, 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી માટે OTPની જરૂર રહેશે નહીં. આ નવી મર્યાદા માત્ર મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન અને ક્રેડિટ કાર્ડ રિપેમેન્ટ માટે લાગુ કરવામાં આવી છે. હાલમાં, જ્યારે UPI દ્વારા ઓટો પેમેન્ટ રૂ. 15,000 કરતાં વધી જાય ત્યારે OTP-આધારિત AFA લાગુ થાય છે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની સલામતી અને સુરક્ષાની સાથે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને, રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ માટે ઇ-મેન્ડેટની પ્રક્રિયાની રૂપરેખા ઓગસ્ટ 2019 માં મૂકવામાં આવી હતી. હાલમાં રજિસ્ટર્ડ ઈ-મેન્ડેટની સંખ્યા 8.5 કરોડ છે, જે દર મહિને અંદાજે રૂ. 2800 કરોડના વ્યવહારો પર પ્રક્રિયા કરે છે. સિસ્ટમ સંપૂર્ણપણે સ્થિર થઈ ગઈ છે. પરંતુ મ્યુચ્યુઅલ ફંડ સબ્સ્ક્રિપ્શન, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ જેવી કેટેગરીમાં જ્યાં ટ્રાન્ઝેક્શનનું કદ રૂ. 15,000થી વધુ છે, ત્યાં મર્યાદા વધારવાની જરૂરિયાત અનુભવવામાં આવી છે. આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર બહાર પાડવામાં આવશે.

દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા રજૂ કરતા, મધ્યસ્થ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રિમીયમ અને ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી માટે રૂ. 1 લાખ સુધીના વ્યવહારો માટે AFA ની જરૂરિયાતને મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અન્ય હાલની આવશ્યકતાઓ જેવી કે વ્યવહાર પહેલાની અને પોસ્ટ-ટ્રાન્ઝેક્શન માહિતી, વપરાશકર્તાઓ માટે નાપસંદ કરવાની સુવિધા વગેરે આ વ્યવહારો પર લાગુ થશે. આ અંગેનો સંશોધિત પરિપત્ર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ફિનટેક રિપોઝીટરીની સ્થાપના કરવામાં આવશે

અન્ય નિર્ણયમાં, આરબીઆઈએ ફિનટેક ઇકોસિસ્ટમના વિકાસને વધુ સારી રીતે સમજવા અને સેક્ટરને ટેકો આપવા માટે ફિનટેક રિપોઝીટરીની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી. દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઈનોવેશન હબ એપ્રિલ 2024ના રોજ અથવા તે પહેલા શરૂ કરવામાં આવશે. ભારતમાં બેંકો અને NBFCs જેવી નાણાકીય સંસ્થાઓ ફિનટેક સાથે વધુને વધુ ભાગીદારી કરી રહી છે.

બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં ડેટાની સતત માંગ છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને તેમાંથી ઘણા આ હેતુ માટે ક્લાઉડ સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યા છે. દાસે કહ્યું કે રિઝર્વ બેંક આ હેતુ માટે ભારતમાં નાણાકીય ક્ષેત્ર માટે ક્લાઉડ સુવિધા સ્થાપવા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આવી સુવિધા ડેટાની સુરક્ષા અને ગોપનીયતામાં વધારો કરશે.