રાજકારણ@દેશ: સંસદમાં વિપક્ષે કહ્યું, આ સરકાર બચાવો બજેટ, ભાજપના નિશાને લઘુમતીઓ

ખડગેએ સીતારમણને માતાજી કહ્યાં

 
રાજકારણ@દેશ: સંસદમાં વિપક્ષે કહ્યું, આ સરકાર બચાવો બજેટ, ભાજપના નિશાને લઘુમતીઓ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકારણમાં અવાર-નવાર કેટલીક બાબતે ચર્ચાઓ થતી હોય છે. ​​​સંસદમાં ચોમાસુ સત્રનો આજે (24 જુલાઈ) ત્રીજો દિવસ છે. રાજ્યસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણના ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે દરેક બજેટમાં તમને આ દેશના દરેક રાજ્યનું નામ લેવાની તક નથી મળતી. આનાથી નારાજ વિપક્ષના નેતાઓ શેમ-શેમના નારા લગાવતા ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા.

INDIA ગઠબંઘનના નેતાઓએ કહ્યું- આ બજેટમાંથી 90% દેશ ગુમ છે. માત્ર બિહાર અને આંધ્રપ્રદેશને ખુશ કરવામાં આવ્યા છે, કારણ કે કેન્દ્ર સરકાર તેમના મુખ્યમંત્રીઓના આધારે ચલાવવામાં આવી રહી છે. આ મોદી સરકાર બચાવો બજેટ છે.

વિપક્ષે બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- બજેટમાં તમામ રાજ્યોનાં નામ લેવાની તક મળતી નથી. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓ જાણીજોઈને આવા આક્ષેપો કરી રહ્યા છે, જેથી લોકોને લાગે કે તેમના રાજ્યને કંઈ મળ્યું નથી, આ યોગ્ય નથી.

આ તરફ હોબાળા વચ્ચે લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે. આ પછી બજેટ પર ચર્ચા શરૂ થશે. ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આજે બજેટ પર ચર્ચા થશે. આ માટે 20 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

I.N.D.I.A.ના તમામ સાંસદો સંસદમાં બજેટનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- આ અન્યાય છે. અમે વિરોધ કરીશું. સપા-અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું- ખેડૂતોને ટેકાના ભાવ આપવાને બદલે સરકાર ગઠબંધન પક્ષોને બજેટ આપી રહી છે. કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો છે.