દુર્ઘટના@પંજાબ: ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ
અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોનાની આફત વચ્ચે પંજાબમા આજે વાયુસેનાનું મિગ-29ના ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ
May 8, 2020, 12:36 IST
અટલ સમાચાર, ડેસ્ક
દેશમાં કોરોનાની આફત વચ્ચે પંજાબમા આજે વાયુસેનાનું મિગ-29ના ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય વાયુસેનાનું ફાઈટર વિમાન પંજાબમાં ક્રેશ થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. પંજાબના હોશિયારપુર જિલ્લામાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહતની વાત એ છે કે ફાઈટર વિમાનના પાયલટ સુરક્ષિત છે. આ સિવાય અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, વાયુસેનાનું મિગ-29 આજે પંજાબના હોશિયારપુર જિલ્લામાં ક્રેશ થયું છે. આ ફાઈટર વિમાન ખેતરમાં ક્રેશ થયું હોવાથી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે. પાઈલટ વિમાનમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં છે.