અપડેટ@દેશ: પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં 2 હજાર લોકો દટાયા, જાણો વધુ વિગતે
4 દિવસથી ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે
May 27, 2024, 17:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં ભૂકંપની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. પાપુઆ ન્યુ ગિનીના કાઓકલામ ગામમાં થયેલા ભૂસ્ખલનમાં 2 હજારથી વધુ લોકો દટાયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની સરકારે પોતે આ અંગે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને જાણ કરી છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા ABC અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર દૂર એન્ગા પ્રાંતના ગામમાં 24 મેના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 3 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. છેલ્લા 4 દિવસથી ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, કાઓકલમમાં માઉન્ટ મુંગલો પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળ ગામમાં પડ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે આખું ગામ સૂઈ રહ્યું હતું તેથી તેમને ભાગવાનો મોકો ન મળ્યો.