અપડેટ@દેશ: લખનઉમાં 4 દિવસમાં ભીષણ ગરમીથી 210 લોકોનાં મોત નીપજ્યા

ગરમીથી 210નાં મોત નીપજ્યા 
 
અપડેટ@દેશ: લખનઉમાં 4 દિવસમાં ભીષણ ગરમીથી 210નાં મોત નીપજ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ગરમીથી મોતના બનાવો ખુબજ વધી ગયા છે. ગણા લોકો ગરમીના કારણે મોતને ભેટતા હોય છે.  ​​​​​​લખનઉમાં છેલ્લા ચાર દિવસમાં 200થી વધુ લોકોનાં મોત થયાં છે. સ્મશાનગૃહમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે લોકોને રાહ જોવી પડી રહી છે. સ્થિતિ એવી છે કે પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવા માટે લાકડાં પણ ખૂટી પડ્યાં છે. પોસ્ટમોર્ટમ હાઉસમાં મોટી સંખ્યામાં મૃતદેહો પણ લાવવામાં આવ્યા હતા.

16મીથી 20મી જૂન સુધી, એટલે કે 4 દિવસમાં 210 મૃતદેહને બૈકુંઠ ધામ સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યા હતા. 18 જૂને સૌથી વધુ 62 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. મૃતકોમાં સૌથી વધુ સંખ્યા 60 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધો હોવાનું કહેવાય છે. જૂન મહિનામાં પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહોની સંખ્યા અચાનક વધી ગઈ હતી. સામાન્ય રીતે દરરોજ 10-12 મૃતદેહ લાવવામાં આવતા હતા, પરંતુ જૂનના ત્રીજા સપ્તાહમાં (16થી 20 જૂન) 4 દિવસમાં લગભગ 210 મૃતદેહો કેજીએમયુના પોસ્ટમોર્ટમ હાઉસમાં લાવવામાં આવ્યા હતા.

જોકે હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. 21 જૂને 33 મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા, જેમાંથી 20 બિનવારસી હતા, જ્યારે સ્મશાનમાં 27 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સ્મશાનભૂમિ પર પહોંચેલા મૃતદેહોમાંથી, છેલ્લા 4 દિવસમાં 45 બિનવારસી હતા. આમાંના મોટા ભાગના મૃતદેહોના અંતિમ સંસ્કાર ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં લખઉનના ત્રણેય સ્મશાન પર આ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. 

મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે સ્મશાનભૂમિ ખાતે લાઈન લાગી છે. લોકોએ મૃતદેહો માટે બનાવેલા પ્લેટફોર્મ ખાલી થવાની રાહ જોવી પડે છે. એકસાથે અનેક મૃતદેહો આવવાને કારણે બિજલી સ્મશાનગૃહમાં ભીડ હતી.

સ્મશાન ગૃહના કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા ચાર દિવસમાં સૌથી વધુ સંખ્યામાં મૃતદેહો સવારે આવ્યા હતા. કારણ કે લોકો સવારે આવીને જ આખી વિધિ કરવાનો પ્રયાસ કરે છે., પરંતુ ભારે ભીડના કારણે લોકોએ સાંજ સુધી રાહ જોવી પડી હતી.
16 થી 20 જૂનની વચ્ચે વૈકુંઠ ધામમાં વધુ મૃતદેહો આવવાના કારણે લાકડાં પણ ખતમ થઈ ગયાં હતા. ચાર કોન્ટ્રેક્ટરો બૈકુંઠ ધામમાં લાકડાંનો સપ્લાય કરે છે, તેથી લોકોને અંતિમસંસ્કાર માટે તાત્કાલિક લાકડાંની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક કર્મચારીએ જણાવ્યું કે સ્મશાનની ચારેય વેરહાઉસમાં લાકડાંની અછત છે.

સામાન્ય રીતે સ્મશાનમાં દરરોજ માત્ર 10-15 મૃતદેહો આવે છે, પરંતુ છેલ્લા 4 દિવસમાં દરરોજ 50-60 મૃતદેહો આવવા લાગ્યા છે. આવી સ્થિતિમાં વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આ બાબતની માહિતી મળતાં મહાનગરપાલિકા દ્વારા લાકડાંનો સપ્લાય કરવામાં આવ્યો હતો.


છેલ્લા 4 દિવસમાં સૌથી વધુ મૃત્યુ વૃદ્ધોના થયા છે. આમાં પણ પુરુષોની સંખ્યા સૌથી વધુ છે. બૈકુંઠ ધામ સ્મશાનગૃહના પંડિત કુલદીપ દુબેએ જણાવ્યું કે ગરમ હવામાન અને કાળઝાળ ગરમીના કારણે લોકોના મોત થયા છે. એક દિવસમાં 50થી વધુ મૃતદેહો લાવવામાં આવ્યા હતા. દાવા વગરના મૃતદેહોની સંખ્યા વધુ હતી.


લખનૌના ભેંસકુંડ, વીવીઆઈપી રોડ અને ગુલાલા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. 17 જૂને 52 મૃતદેહ, 18ના રોજ 62, 19ના રોજ 54 અને 20ના રોજ 42 મૃતદેહો બૈકુંઠધામ પહોંચ્યા હતા. જેના કારણે સ્મશાનગૃહની વ્યવસ્થાને પણ અસર થઈ હતી. સામાન્ય દિવસોમાં, પંડિતો તેમનો વારો આવે ત્યારે જ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરે છે, પરંતુ જ્યારે ભીડ વધી ગઈ, ત્યારે પંડિતોને બહારથી બોલાવવા પડ્યા.


17 થી 20 જૂનની વચ્ચે લગભગ 174 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દરરોજ લગભગ 40 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હતું. ડોક્ટરો કહેવું છે કે વધતી ગરમીના કારણે જ મૃત્યુઆંક વધ્યો છે. KGMU ખાતે 17 જૂને 44, 18 જૂને 48, 19 જૂને 48 અને 20 જૂને 50 મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે આવ્યા હતા. મોડી રાત સુધી પોસ્ટમોર્ટમ ચાલુ હતું.

યુપીમાં 2 દિવસમાં હીટવેવને કારણે રોડવેઝના 4 કર્મચારીનાં મોત થયાં છે, માર્યા ગયેલાઓમાં 3 ડ્રાઈવર અને 1 કંડક્ટરનો સમાવેશ થાય છે. મુસાફરોથી ભરેલી બસ લઈ જતી વખતે તેમની તબિયત લથડી હતી અને બાદમાં તેણણે જીવ ગુમાવ્યો હતો. તેમાં અમેઠી ડેપોના લવકુશ દુબે છે. બદાઉનના કુલદીપ, હરદોઈના જ્ઞાન પ્રકાશ, બસ્તી અર્જુનના પ્રસાદનો સમાવેશ થાય છે.