અપડેટ@દેશ: પાકિસ્તાનમાં ગરમીના કારણે 568 લોકોના મોત નીપજ્યા

 568 લોકોના મોત થયા છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ગરમીના કારણે કેટલાક લોકોના મોત નીપજતા હોય છે.  પાકિસ્તાનમાં કાળઝાળ ગરમીનો અંત નથી આવી રહ્યો. બીબીસી ન્યૂઝ અનુસાર, છેલ્લા 6 દિવસમાં અહીં 568 લોકોના મોત થયા છે. જેમાંથી મંગળવારે (25 જૂન) 141 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં 24 જૂને તાપમાનનો પારો 41 ડિગ્રી નોંધાયું હતું

રિપોર્ટ અનુસાર છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. જો કે હવામાં વધુ પડતા ભેજને કારણે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે 40 ડિગ્રી તાપમાન પણ 49 ડિગ્રી જેવું લાગે છે. છેલ્લા 4 દિવસમાં 267 લોકોને હીટસ્ટ્રોકના કારણે કરાચી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની એક NGO એધી ફાઉન્ડેશનના વડા ફૈઝલે કહ્યું કે તેઓ કરાચીમાં 4 શબઘર છે પરંતુ સ્થિતિ એવી છે કે મૃતદેહો રાખવા માટે શબઘરમાં જગ્યા બચી નથી. અહીં દરરોજ 30-35 મૃતદેહો આવી રહ્યા છે. ડોન ન્યૂઝ અનુસાર, ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને અત્યાર સુધી કરાચીમાં રસ્તા પરથી 30 લોકોના મૃતદેહ મળ્યા છે.


મૃત્યુ પામેલા મોટાભાગના લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. હીટવેવને કારણે જે લોકો બીમાર પડ્યા પછી હોસ્પિટલ પહોંચે છે, તેઓ મોટે ભાગે ઉલ્ટી, ઝાડા અને ખૂબ તાવની ફરિયાદ કરે છે. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ કામ માટે આખો દિવસ બહાર રહે છે.

વહીવટીતંત્રે લોકોને વધુ પાણી પીવા અને હળવા કપડાં પહેરવાની સલાહ આપી છે. ગયા મહિને કરાચીમાં તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે જણાવ્યું છે કે છેલ્લા મહિનામાં સમગ્ર એશિયામાં મહત્તમ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે. તેનું સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ છે.