અપડેટ@દેશ: યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો

લોકસભા ચૂંટણી પીએમ ચહેરા સાથે લડવી જોઈએ
 
અપડેટ@દેશ: યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચૂંટણી બાબતે અગત્યની  વાત સામે આવી છે.આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો છે, જેમાં ઘણી મોટી જાણકારી બહાર આવી છે. વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો થશે?ખૂબ જ ફાયદો - 41 ટકા. થોડો ફાયદો - 17 ટકા. કોઈ ફાયદો નહી- 34 ટકા. કહી શકીએ નહી- 8 ટકા.

સીએમ પદ માટે કેન્દ્રીય મંત્રીઓ-સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપમાં જૂથવાદ વધશે? હા- 46 ટકા. ના- 37 ટકા. કાંઇ કહી શકીએ નહી- 17 ટકા. 2024માં પણ ભાજપ નવા ચહેરાઓને તક આપશે? હા- 57 ટકા. ના- 17 ટકા. કહી શકતા નથી- 26 ટકા. સીએમના ચહેરા વગર ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થશે કે હાર? ફાયદો- 41 ટકા, નુકસાન- 43 ટકા. કહી શકતા નથી - 16 ટકા.

જો SP-AAP અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડે તો ' ઇન્ડિયા'ની વ્યૂહરચના વિશે તમે શું વિચારો છો? હજુ વ્યૂહરચના બનાવી શક્યા નથી - 33 ટકા. વિધાનસભા-લોકસભા માટે અલગ રણનીતિ - 42 ટકા. કહી શકતા નથી - 25 ટકા