અપડેટ@દેશ: 10 વર્ષ બાદ યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે બાજી મારી, જાણો કેટલી સીટો મળી ?

ચૂંટણીમાં ભાજપે 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કબજો
 
અપડેટ@અમદાવાદ: શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. 10 વર્ષ બાદ યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂતોની 10 અને વેપારી પેનલની 4 બેઠકો માટે મતદાન થવાનું હતુ જેમાં વેપારી પેનલ બિનહરીફ થઈ હતી. જ્યારે ખેડૂત પેનલના 10 પૈકી 5 ભાજપના ઉમેદવાર અને 5 કોંગ્રેસના ઉમેદવારની પસંદગી કરાઈ હતી. વેપારી પેનલ બિનહરીફ થતા 9 સીટ સાથે ભાજપ આ ચૂંટણીમાં વિજયી બની છે.

આ ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાંથી 816 ખેડૂત મતદારોએ મતદાન કર્યુ હતુ. આ વખતે ચૂંટણીના મુદ્દાઓમાં ડુંગળીની નિકાસબંધીનો મુદ્દો, કપાસના ભાવ, ડુંગળીના તળિયે ગયેલા ભાવ સહિતના મુદ્દા પર મતદાન થયુ હતુ. કુલ 14 બેઠક માટે યોજાયેલા મતદાનમાં 4 વેપારી પેનલની બેઠકો ભાજપ દ્વારા બિનહરીફ થઈ હતી. ત્યારબાદ 10 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ બંને વચ્ચે આ ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરતા જોવા મળ્યા હતા.

ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ડુંગળીની નિકાસબંધીને કારણે હાલ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા તેમજ કપાસમાં પણ ખેડૂતોને ભાવ ન મળતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ભાજપના જીતેલા ઉમેદવાર દિગ્વિજયસિંહ ગોહિલે એવી ખાતરી આપી કે ખેડૂતોની સમસ્યા અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે.

માર્કેટિંગ યાર્ડમાં છેલ્લે 2013માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ સરકાર દ્વારા નિયુક્તિ બોડી મુકવામાં આવી હતી. હવે 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે અને યાર્ડમાં ભાજપની સત્તા આવી છે ત્યારે જોવુ રહ્યુ કે ખેડૂતોલક્ષી અને યાર્ડના વિકાસના કામો પર કેટલુ ધ્યાન અપાય છે. અહીં આવતા ખેડૂતોને કોઈ અગવડ ન પડે તેના માટે શું કામગીરી કરવામાં આવે છે.