અપડેટ@જયપુર: બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાતા આગ લાગી, 3ના મોત, 10થી વધુ ઘાયલ
બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
Oct 28, 2025, 12:27 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જયપુરમાંથી ભયાનક બસ દુર્ઘટના સામે આવી છે. મજૂરોને લઈ જતી એક બસ હાઇ-ટેન્શન લાઇનને અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 3 મજૂરોના મોત નીપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
બસમાં અનેક ગેસ સિલિન્ડર પણ મુકવામાં આવ્યા હતા. જેના કારણે વિસ્ફોટ થયો હતો. આ ઘટના જયપુર શહેરથી 50 કિલોમીટર દૂર મનોહરપુર વિસ્તારમાં બની હતી.
ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરોને બસ દ્વારા ટોડીના એક ઈંટના ભઠ્ઠા પર લઈ જવામાં આવી રહ્યા હતા.

