અપડેટ@દેશ: બંગાળની જીત પર વડાપ્રધાન મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું, જાણો વધુ વિગતે
ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે.
May 5, 2026, 09:07 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય પર કહ્યું- બંગાળની પહેલી કેબિનેટ મીટિંગમાં જ આયુષ્માન ભારતને મંજૂરી મળશે. ઘૂસણખોરો પર કાર્યવાહી કરવામાં આવશે.
મહિલાઓને સુરક્ષાનું વાતાવરણ મળશે, યુવાનોને રોજગાર મળશે, પલાયન અટકશે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં સરકાર બનવા પર તેમણે કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલ્યું છે. વર્ષોની સાધના જ્યારે સિદ્ધિમાં બદલાય છે ત્યારે જે ખુશી થાય છે તે ખુશી હું કાર્યકર્તાઓના ચહેરા પર જોઈ રહ્યો છું.

