અપડેટ@દેશ: PM મોદીએ વેલ્લોરમાં જનસભાને સંબોધતી વખતે કહ્યું- DMK પાસે ભ્રષ્ટાચારનું કોપીરાઇટ

વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે
 
અપડેટ@દેશ: PM મોદીએ વેલ્લોરમાં જનસભાને સંબોધતી વખતે કહ્યું- DMK પાસે ભ્રષ્ટાચારનું કોપીરાઇટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવે ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટેના પ્રચારમાં વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે. મોદીએ વેલ્લોરમાં જનસભાને સંબોધતી વખતે કહ્યું- DMK પાસે કરપ્શનનું કોપીરાઇટ છે. આખો પરિવાર મળીને તમિલનાડુને લૂટવાનું કામ કરી રહી છે. પાર્ટી એક ફેમિલી કંપની બની ગઈ છે. તેમણે એન્ટી-તમિલ કલ્ચરને પણ પ્રોત્સાહન આપ્યું છે.

મોદીએ કહ્યું કે DMK તમિલનાડુને જૂના વિચારમાં ફસાવીને રાખવા ઇચ્છે છે. DMK ની ફેમિલી પોલિટિક્સના કારણે અહીંના યૂથને આગળ વધવાની તક મળી રહી નથી. આ પાર્ટીમાં આગળ વધવા માટે 3 ક્રાઇટેરિયા છે. પહેલો- ફેમિલી પોલિટિક્સ, બીજો-કરપ્શન અને ત્રીજો એન્ટી તમિલ કલ્ચર. વડાપ્રધાન મોદી તમિલનાડુના મેટ્ટુપાલયમમાં બપોરે 1.45 વાગ્યે ચૂંટણી સભાને સંબોધિત કરશે. તે પછી તેઓ મહારાષ્ટ્રના નાગપુરના રામટેક જશે. અહીં સાંજે 6 વાગ્યે તેમની ચૂંટણી સભા થશે. છેલ્લા થોડા દિવસોમાં પીએમ મોદીએ યૂપી, એમપી અને ચેન્નાઈમાં જનસભા અને રેલી કરી હતી.


2014 પહેલા ભારતની અર્થવ્યવસ્થા ઘણી નબળી હતી. દેશમાં માત્ર કૌભાંડના સમાચાર આવતા હતા. ભારત વિશે ઘણી બધી ખરાબ વાતો કહેવામાં આવી હતી. ભારતની અર્થવ્યવસ્થા કોઈપણ સમયે નિષ્ફળ થઈ શકે છે, પરંતુ હવે ભારત વિશ્વમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. તમિલનાડુએ આમાં મોટી ભૂમિકા ભજવી છે.


એનડીએ સરકાર વેલ્લોરના લોકોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. વેલ્લોર એરપોર્ટનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ સાથે વેલ્લોર એર કનેક્ટિવિટીના નકશા પર આવી જશે. 2014થી અહીં રેલવેનો પણ વિકાસ થયો છે. સ્ટેશનોની સંખ્યા સાથે ટ્રેનોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.


રેતી તસ્કરોએ 2 વર્ષમાં રાજ્યને 4600 કરોડનું નુકસાન કર્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું છે. સમગ્ર રાજ્યમાં લૂંટનો ખેલ ચાલી રહ્યો છે. અમે રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી હજારો કરોડો રૂપિયા મોકલીએ છીએ. આ પૈસા ડીએમકેના ભ્રષ્ટાચારમાં જાય છે.

ડીએમકેએ રાજ્ય અને નાના બાળકોનું ભવિષ્ય છોડ્યું નથી. શાળામાં ડ્રગ્સનો વેપારી પણ છે. NCB દ્વારા જે ડ્રગ્સ માલિકની ધરપકડ કરવામાં આવી છે. તે સ્ટાલિન પરિવાર સાથે સંબંધિત છે. આ ચૂંટણીઓમાં તમિલનાડુની જનતા ડીએમકેના પાપોનો હિસાબ આપશે.