ઉત્સવ@દેશ: મંગળવારે 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે,જાણો વધુ
![Utsavdesh celebrates 77th Independence Day with fervor on Tuesday Know more](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/2a068fa3b54e80cbce5826b5c727da8c.jpg)
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં મંગળવારે 77માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે. ત્યારે PM નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી તેમનું 10મું ભાષણ આપશે. આજ 15 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, ભારતનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 15મી ઓગસ્ટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો તે દિવસને યાદ કરે છે જ્યારે સ્વતંત્રતા માટેના લાંબા અને સખત સંઘર્ષ પછી ભારતને બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી આઝાદી મળી હતી. આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને મુખ્ય કાર્યક્રમ રાજધાની નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર હંમેશની જેમ થશે.જ્યાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને ભાષણ આપશે.સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન સમારોહ, દેશભક્તિના ગીતો, પરેડ અને દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતા દર્શાવતી અન્ય વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રંગોળી એ મોટાભાગના ભારતીય તહેવારોનો મહત્ત્વનો ભાગ છે.આ દિવસને લોકો ધૂમ-ધામથી ઉજવે છે.