હવામાન@દેશ: યુપી, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ, 3 લોકોના મોત

દૌસાના લાલસોટ અને કોટપુતલી-બહરોડના નારાયણપુરમાં કરા પડ્યા.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વાતવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગરમીથી ત્રાહીમામ થતા લોકોને રાહત મળી છે. યુપી, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ છે. રાજસ્થાનમાં રવિવારે ખરાબ હવામાનને કારણે ત્રણ લોકોના મોત થયા. દૌસાના લાલસોટ અને કોટપુતલી-બહરોડના નારાયણપુરમાં કરા પડ્યા.

યુપીના સુલતાનપુરમાં ચક્કી પર ઝાડની ડાળી પડવાથી એકનું મોત થયું. ફર્રુખાબાદમાં વાવાઝોડાથી થાંભલા ઉખડી ગયા, જ્યારે કાનપુરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડી ગયું.

હરિયાણાના સિરસા, ભિવાની અને મહેન્દ્રગઢમાં રવિવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા. ઉત્તરાખંડના પણ 11 જિલ્લાઓમાં વરસાદ થયો. નૈનીતાલ, દેહરાદૂન અને અલ્મોડામાં કરા પણ પડ્યા.

જમ્મુ-કાશ્મીરના લઘામામાં ભૂસ્ખલન પછી બારામુલા-ઉરી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. ટ્રાફિકને ઉરી તરફ બાંદી-પરનપિલન-દાચી માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

રવિવારે રાજસ્થાનના ફલોદીમાં 44.8°C અને મહારાષ્ટ્રના વર્ધામાં 43.5°C તાપમાન નોંધાયું. હવામાન વિભાગે આજે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, 10 રાજ્યોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની સંભાવના છે.