બેદરકારી@અમદાવાદ: કોરોના પોઝિટિવ દર્દીને લેવા ન આવી એમ્બ્યુલન્સ
અટલ સમાચાર,ડેસ્ક
રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે તંત્ર મસમોટા દાવા તો કરે છે કે અમે દર્દીઓને ઘણી સુવિધાઓ આપીએ છીએ. પરંતુ આ દાવાનો નકારતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં ઠક્કરબાપા નગરમાં એક યુવાનનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને તંત્રએ આપેલા નંબરો અને અર્બન હેલ્થ સેન્ટર પર ફોન કરીને આ અંગેની જાણ કરી. તો તેને ચાલતો બોલાવવામાં આવે છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદવાદના ઠક્કરબાપાનગરમાં દર્દીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. દર્દીએ ફોનને તંત્રએ આપેલા નંબર પર ફોન કરીને જાણ કરી કે, મને કોરોના પોઝિટિવ છે, તો તંત્ર તરફથી જે વાહન દર્દીને લેવા માટે વાહનની વ્યવસ્થા હોય છે તે મોકલવામાં આવે. પરંતુ તેણે ફોન કર્યાનાં બે કલાક સુધી પણ એક એમ્બ્યુલન્સ આવી ન હતી. જેથી દર્દી જાતે જ ચાલતો અર્બન હેલ્થ સેન્ટર સુધી જવાનો પ્રયત્ન કર્યો હતો. તેને હવે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ધોમધકતા તાપમાં દર્દીને ઉભા રહેવાની ફરજ પડી છે.