નવું@મહેસાણા: મિયાવાકી પધ્ધતિ દ્વારા રોપા ઉછેર થશે, વૃક્ષો વધારવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં સંસદ શારદાબેન પટેલની કચેરીના કેમ્પસમાં મિયાવકીની પ્રઘ્ધતિ થકી વૃક્ષોનું વાવેતર કરી હરીયાળી તરફ કટિબધ્ધ બન્યા છે. મિયાવકી પ્રધ્ધતિ થકી સંસદ કચેરી કેમ્પસમાં મિનીવન વાવેતરમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
નવું@મહેસાણા: મિયાવાકી પધ્ધતિ દ્વારા રોપા ઉછેર થશે, વૃક્ષો વધારવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં સંસદ શારદાબેન પટેલની કચેરીના કેમ્પસમાં મિયાવકીની પ્રઘ્ધતિ થકી વૃક્ષોનું વાવેતર કરી હરીયાળી તરફ કટિબધ્ધ બન્યા છે. મિયાવકી પ્રધ્ધતિ થકી સંસદ કચેરી કેમ્પસમાં મિનીવન વાવેતરમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં મિયાવાકી પ્રધ્ધતિ થકી અંદાજીત 979.05 હેક્ટર જમીનમાં અંદાજીત 7,98,215 રોપાઓનું વાવેતર થનાર છે. જિલ્લાના દશ તાલુકાઓમાં જાપાની વનસ્પતિશાસ્રી અકીરા મિયાવકી દ્વારા પ્રેરીત પ્રધ્ધતિથી બ્લોક પ્લાન્ટેશન, બોર્ડર પ્લાન્ટેશન, રોડ-કેનાલ સાઇડ પ્લાન્ટેશન અને બાગાયત થકી વાવેતર થઇ રહ્યું છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવેએ જણાવ્યું હતું કે મિયાવકી પ્રધ્ધતિ થકી છોડની વૃધ્ધી 10 ગણી ઝડપી થાય છે અને ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે.

આ પ્રધ્ધતિ થકી મીની વન બનાવવા માટે છ પગલાં અતિ આવશ્યક છે જેમાં જમીનની જગ્યા, પ્રકાર અને બાયોમાસની માત્રા નક્કી કરવી, વૃક્ષારોપણ માટે વૃક્ષ પ્રજાતિઓ પસંદ કરવી, વન ડિઝાઇન, વિસ્તારની તૈયારી, વૃક્ષો રોપવા, ત્રણ વર્ષ જંગલની સંભાળ રાખવાના છ પગલાં થકી મહેસાણા જિલ્લો પ્રાકૃતિક જિલ્લો બનવા જઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં મનરેગા યોજનામાં મિયાવાકી પ્રધ્ધતિ થકી 8 લાખ જેટલા રોપાઓના વાવેતર સાથે ગ્રામિણ ક્ષેત્રે રોજગારીનું સર્જન થનાર છે. આગામી સમયમાં ગ્રામિણ ક્ષેત્રમાં નક્કી કરેલા વિસ્તારોમાં રોપાનું વાવેતર થનાર છે જે ગ્રામિણ ક્ષેત્રમાં રોજગારી અને હરીયાળી ક્રાંતિ પણ લાવનાર છે.