ઉત્સાહ@અમદાવાદ: માં ઉમિયાધામ ખાતે ભૂમિપૂજન થયું, દિગ્ગજ નેતા સહિત પાટીદારો મોટી સંખ્યામાં પહોંચ્યાં

જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે.
 
file photo
જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે જેમાં ઘણા ભાઈ-બહેનો રહી શકશે.

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામ ભૂમિપૂજનનો આજે ભવ્ય ઉત્સવ યોજાયો છે. ઉમિયાધામ કેમ્પસમાં સમાજના વિકાસ માટે પ્રવૃત્તિ ચાલે છે. હવે આ ઉમિયાધામ કેમ્પસનું નવનિર્માણ થઈ રહ્યું છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અમદાવાદ સોલામાં નવનિર્મિત ઉમિયાધામ કેમ્પસ ખાતે શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીખોડલધામ કાગવડ, સમસ્ત પાટીદાર સંસ્થા, સરદાર ધામ ટ્રસ્ટ, શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર, પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, ઉમિયા માતાજી મંદિર કચ્છ, શ્રી ઉમિયાધામ મધ્ય પ્રદેશ સહિતની સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે 13 માળની બે અલગ અલગ હોસ્ટેલનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત upsc અને gpsc જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે.

ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવામાં આવશે. ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા પણ બનાવાશે. અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. આ સાથે ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે. જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કિંગ હશે.