દિલ્લીઃ કોરોનાનું સંક્રમણ વધતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું- 'હું કોરોના પોઝિટિવ આવ્યો છુ. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કરી છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે પોતે મંગળવારે સવારે ટ્વીટ કરીને લોકોને આ અંગેની જાણકારી આપી છે. તેઓને કોરોનાના હળવા લક્ષણો છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતાને ઘરની અંદર ક્વોરેન્ટાઈન કરી લીધા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવવા કહ્યું છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

દિલ્હીના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું- 'હું કોરોના પોઝિટિવ આવ્યો છુ. મેં મારી જાતને ઘરની અંદર ક્વોરેન્ટાઇન કરી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરી દે અને પોતાનો ટેસ્ટ કરાવી લે. દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે સોમવારે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. 


દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.