કોરોના@ગુજરાતઃ ગત 24 કલાકમાં 535 કેસ, 3ના મોત, કુલ મૃત્યુઆંક 4,360
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 535 કેસ નોંધાયા છે. જેની સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 3 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,360 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. ગુજરાત સરકારે શુક્રવારે આ માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 109, સુરતમાં 94, વડોદરામાં 101, રાજકોટમાં 78, જૂનાગઢમાં 19, ગાંધીનગરમાં 15, દાહોદમાં 12, કચ્છ, જામનગરમાં 11, મોરબીમાં 10-10, ખેડામાં 9, આણંદ, ગીર સોમનાથમાં 6-6 સહિત કુલ 535 કેસ નોંધાયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 185, સુરતમાં 144, વડોદરામાં 64, રાજકોટમાં 91, કચ્છમાં 47, આણંદમાં 26, નર્મદામાં 20, જામનગરમાં 16, સાબરકાંઠામાં 15 સહિત 738 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.