ભરૂચ: 100થી વધુ લોકોનું ઈસ્લામ ધર્મનો અંગીકાર કરવાના આરોપમાં 9 લોકો પર FIR

લંડનમાં રહેતા વ્યક્તિ સિવાય તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. હાલમાં લંડનમાં રહેતા આરોપી ફેફડાવાલા જેણે આવા સંવેદનશીલ લોકોના ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કર્યું હતું
 
file photo
આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

અટલ સમાચાર, ડેસ્ક

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100થી વધુ લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને (Hindu) લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે લંડનમાં રહેતા એક શખ્સ સહિત 9 લોકો સામે આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.


મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના વસાવા હિન્દુ સમાજના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રકારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં આરોપીઓએ આ આદિવાસીઓની નબળી આર્થિક સ્થિતિ અને આદિવાસી સમાજના સભ્યોની નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને ઇસ્લામિક ધર્મ અપનાવવાની લાલચ આપી હતી. આ પ્રવૃતિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપી હતી. જે બાદ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરાવવા માટે સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


લંડનમાં રહેતા વ્યક્તિ સિવાય તમામ 9 આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. હાલમાં લંડનમાં રહેતા આરોપી ફેફડાવાલા જેણે આવા સંવેદનશીલ લોકોના ધર્માંતરણ માટે વિદેશી ભંડોળ એકત્ર કર્યું હતું. ભરૂચ પોલીસે જણાવ્યું છે કે, વિદેશમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે.

આરોપીના નામ

શબ્બીરભાઇ બેકરીવાલા (રહે.આમોદ)
સમજભાઇ બેકરીવાલા (રહે.આમોદ)
અબ્દુલ અઝીઝ પટેલ (રહે. કાંકરીયા)
યુસુફ જીવણ પટેલ (રહે. કાંકરીયા)
ઐયુબ બરકત પટેલ (રહે.કાંકરીયા)
ઇબ્રાહીમ પુના પટેલ (રહે.કાંકરીયા)
ફેફડાવાલા હાજી અબ્દ્દુલ્લા (રહે. હાલ લંડન)
હશન ટીસલી (રહે.આછોદ)
ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (મૌલવી) (રહે.આછોદ)

આ અંગેની ફરિયાદની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ છે. કાંકરિયા ગામના પ્રવીણ વસંત વસાવા તથા તેની સાથેના અન્ય લોકોને હિન્દુ ધર્મ નહીં પાળવા ધમકી અપાતી હતી તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. આ ઉપરાંત ધર્મપરિવર્તનની ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેમજ કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, અમારી ઓળખાણ કાશ્મીરથી પાકિસ્તાન સુધી છે તેવી ધમકી પણ મળી હતી.