રાહત@દેશઃ ગત 24 કલાકમાં 10,064 નવા કેસ, 137ના મોત, કુલ મૃત્યુંઆંક 1,52,556
અટલ સમાચાર, ડેસ્ક
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ગત વર્ષ 16 જૂન બાદ આજે 10 હજાર લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,064 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 137 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,05,81,837 થઈ ગઈ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 2 લાખ 28 હજાર 753 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 17,411 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 2,00,528 ક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,556 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 18 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ 18,78,02,827 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં માત્ર 7,09,791 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.