સ્પેશ્યલ@દેશ: જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ, જાણો પ્રેસની આઝાદી માટે ફૂલેએ શું કર્યુ હતુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક માનવતાના એક એવા મહાનાયક જેણે ભારતીય રૂઢીવાદી-જડ ધાર્મિક સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારી સ્ત્રીઓ અને શુદ્ર-અતિશુદ્ર ગણાતા લોકો માટે આજીવન સંઘર્ષ કરી સમાનતા, બંધુતા,અને શિક્ષણની જ્યોત જલાવી. તેમજ ખાસ તો ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના સશક્તિકરણ માટે આજીવન સંઘર્ષ કર્યો એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે જન્મ દિવસ છે. અટલ સમાચાર
 
સ્પેશ્યલ@દેશ: જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ, જાણો પ્રેસની આઝાદી માટે ફૂલેએ શું કર્યુ હતુ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

માનવતાના એક એવા મહાનાયક જેણે ભારતીય રૂઢીવાદી-જડ ધાર્મિક સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારી સ્ત્રીઓ અને શુદ્ર-અતિશુદ્ર ગણાતા લોકો માટે આજીવન સંઘર્ષ કરી સમાનતા, બંધુતા,અને શિક્ષણની જ્યોત જલાવી. તેમજ ખાસ તો ભારતીય મહિલાઓના શિક્ષણ તથા એમના સશક્તિકરણ માટે આજીવન સંઘર્ષ કર્યો એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે જન્મ દિવસ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં લોર્ડ લિટન 1876 થી 1880 સુધી વાઇસરોય હતો. 1878માં બ્રિટિશ શાસનએ વર્નાક્યુલર એક્ટ પસાર કરીને પ્રેસનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો. આ કાયદા હેઠળ, મૂળ ભાષામાં છપાયેલા અખબારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. સખ્તાશોધક સમાજનો ભાગ એવા દિનબંધુ અખબાર દ્વારા અખબારી સ્વાતંત્ર્ય છીનવા પર પ્રતિબંધનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદમાં 1880માં લિટન આ પ્રતિબંધના 2 વર્ષ પછી પૂના (હાલ પૂણે)ની મુલાકાત લેવાનો હતો. પૂના પાલિકાના તત્કાલીન પ્રમુખ લોર્ડ લિટનનું ભવ્ય સ્વાગત કરવા માંગતા હતા.

સ્પેશ્યલ@દેશ: જ્યોતિરાવ ફૂલેનો જન્મદિવસ, જાણો પ્રેસની આઝાદી માટે ફૂલેએ શું કર્યુ હતુ ?
File Photo

આ માટે તે એક હજાર રૂપિયા ખર્ચવા માંગતો હતો અને પૂના પાલિકાના સભ્યોને તેમની ખર્ચનો પ્રસ્તાવ પસાર કરવામાં મદદ કરવા વિનંતી કરી. જ્યોતિબા ફુલેએ ઘણી અતિશયોક્તિથી પસાર કર્યું હતું કે, કરદાતાઓના પૈસા લિટન જેવા ક્રૂર માણસ પર ખર્ચ કરવા જોઈએ. તેઓ ભયભીત ન હતા અને સંપૂર્ણ હિંમત સાથે દરખાસ્ત કરી કે, લિટોને બદલે તે પૈસા પૂનાના ગરીબ લોકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા જોઈએ. તેમને પોતાના નિર્ણય ઉપર મક્કમ હોઇ જ્યારે ખર્ચનો પ્રસ્તાવ મતદાન માટે આવ્યો ત્યારે તેમણે આ દરખાસ્તની વિરૂધ્ધમાં મત આપ્યો. પૂના પાલિકામાં તે સમયે 32 નામાંકિત સભ્યો હતા જેમાંથી જ્યોતિબા ફૂલે એકલા એવા હતા જેમણે આ દરખાસ્ત વિરૂધ્ધ મત આપ્યો હતો.

ક્રાંતિકારી મહાનાયક મહાત્મા જ્યોતિરાવ ફૂલે વિશે થોડું જાણીએ

  • પૂરૂ નામ : જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
  • અન્ય નામ : “મહાત્મા” “જ્યોતિબા ફુલે”
  • જન્મ : 11 એપ્રિલે, 1827
  • જન્મભૂમિ : પુણે, મહારાષ્ટ્
  • મૃત્યુ : 28 નવેમ્બર, 1890
  • મૃત્યુ સ્થાન : પુણે, મહારાષ્ટ્ર
  • પિતા : ગોવિંદરાવ ફૂલે
  • પત્ની : સાવિત્રીબાઈ ફૂલે
  • કર્મભૂમિ : મહારાષ્ટ્ર
  • માતૃભાષા : મરાઠી

યોગદાન

  • ભારતમાં પ્રથમ કન્યાશાળાઓની સ્થાપના, તમામ વર્ગની મહિલાઓને પ્રથમવાર શિક્ષણનો અધિકાર મળ્યો
  • શુદ્રો(OBC), અને અતિશુદ્ર(SC/ST)માટે શાળાઓ ખોલી તેમને શિક્ષણના અધિકાર આપ્યો
  • સત્ય શોધક સમાજ’ સંસ્થાનની સ્થાપના કરી
  • જાતિવાદ-વર્ણવ્યવસ્થાની નાબુદી માટે આદોલન ચલાવ્યું,
  • સામાજિક ધાર્મિક અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી લોકોને બહાર લાવવા લોકજાગૃતિ
  • મજુરો, મહિલાઓને અધિકાર માટે લડત આપી
  • વિધવા વિવાહને ઉતેજન આપ્યું.
  • બાળ-હત્યાપ્રતિબંધક ગૃહની સ્થાપના કરી
  • દુષ્કાળની પરિસ્થિતિમાં રાહત અને મફત ભોજનાલયો શરુ કર્યા

જીવન પરિચય

તેમનો જન્મ પૂણે (મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ એક માળી પરિવારમાં જન્મયાં હતા. જે ફૂલો વેચવા-ઉછેરવાનું કામ કરતા હોય લોકોમાં તેઓ ‘ફૂલે’ ના નામથી વધારે જાણીતા હતા. બાળક જ્યોતિરાવમાં બુદ્ધિ કૌશલ્યો જોઈ કોઈ રૂઢીવાદીએ તેમના પિતાને કાન ભર્યા કે ‘વાંચન-લેખનથી કઈ ફાયદો નહિ થાય, જો આ બાળક વાધારે ભણશે તો તમારું કઈ કામ કરશે નહિ. નકામો બની જશે.’ પિતા ગોવિંદરાવે તેને શાળા છોડાવી તો કોઈ ભલા-હિત ચિંતકને બાળક જ્યોતિરાવની તીવ્ર બુદ્ધિ શક્તિ જોઈ તેમનાં પિતાને સમજાવ્યું જેથી બાળકને ફરીથી શાળા જવાનો અવસર મળ્યો અને 21 વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની સાતમા ધોરણની શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો. જયોતિબા ફૂલેના લગ્ન ઈ.સ.1840માં નાયગાવના ખાડોજી નેવ્શેના પુત્રી સાવિત્રીબાઈ સાથે થયા હતા.

સ્કૂલોની સ્થાપના

જ્યોતીરાવને મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચવાની ખુબ રૂચી. તેમને જ્ઞાન થયું કે જ્યારે કુદરત દ્વારા બધા પુરુષ-સ્ત્રી સમાન સર્જેલા છે અને સમાજમાં મહિલાઓની દશા ખુબ જ દયનીય જોઈ સમાજ સુધારણા અને તેમની શિક્ષણ માટે જયોતિરાવે જ્યોત જલાવી. તેઓએ સર્વ પ્રથમ પોતાના પત્ની સાવીત્રીબાઈને ભણાવી શિક્ષિત કર્યા. ઈ.સ.1848માં 1 જન્યુવારીના રોજ એક શાળા શરૂઆત કરી. જે ભારત દેશની પ્રથમ કન્યા શાળા હતી. હિંદુ શાસ્ત્રો મુજબ સ્ત્રીઓને શિક્ષણની મનાઈ હોય કન્યાઓને શિક્ષણ આપવામાટે કોઈ શિક્ષક તૈયાર થયું નહિ. તેઓ થોડા દિવસો સ્વયં આ કામ કરીને તેમનાં પત્ની સાવિત્રીબાઈને આ યોગ્ય બનાવી દીધાં. ઉચ્ચ વર્ગના લોકોએ શરૂઆતથી જ તેમના કામમાં બાધા નાખવાના પ્રયત્નો કર્યાં, પરંતુ જ્યારે જ્યોતિરાવફુલે આગળ વધતા જ ગયા ત્યારે તેમના પિતાએ જ તેમના પર આ કામગીરી બંધ કરવા દબાણ કર્યું. અને આખરે તેઓએ પોતાની આ કામગીરી નહિ છોડતા તેમને બંને પતિ-પત્નીને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા. તેમ છતાં તેઓએ એવી કપરી પરિસ્થિતિમાં પણ એક પછી એક એમ કરતા મહિલાઓના શિક્ષણ માટે કુલ 18-કન્યાશાળાની સ્થાપના કરી હતી.