દુ:ખદ@દેશ: કેન્સરની સારવાર લઇ રહેલાં સામાજીક કાર્યકર્તા અને લેખિકા કમલા ભસીનું નિધન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રખ્યાત સામાજિક કાર્યકર અને મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરનાર કવિયત્રી કમલા ભસીન નું આજે સવારે નિધન થયું છે. તેઓને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાજિક કાર્યકર કવિતા શ્રીવાસ્તવે તેમના મૃત્યુ વિશે માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘અમારા પ્રિય મિત્ર કમલા ભસીનનું આજે 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 3 વાગ્યે નિધન થયું છે. ભારત અને દક્ષિણ એશિયન ક્ષેત્રમાં મહિલા આંદોલન માટે આ મોટો આંચકો છે. તેમણે પ્રતિકૂળતામાં જીવનની ઉજવણી કરી. કમલા તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો. એક બહેન જે ઊંડા દુ:ખમાં છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ઈતિહાસકાર ઈરફાન હબીબે કમલા ભસીનને યાદ કરતા લખ્યું, ‘કમલા ભસીન, એક પ્રિય મિત્ર અને અસાધારણ માનવીના દુ:ખદ નિધન વિશે સાંભળીને ખૂબ દુ:ખ થયું. અમે ગઈકાલે જ તેના સ્વાસ્થ્ય વિશે વાત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે તે બીજા દિવસે અમને છોડી દેશે. તમને ઘણા યાદ આવશે.’
Kamla Bhasin, our dear friend, passed away around 3am today 25th Sept. This is a big setback for the women's movement in India and the South Asian region. She celebrated life whatever the adversity. Kamla you will always live in our hearts. In Sisterhood, which is in deep grief pic.twitter.com/aQA6QidVEl
— Kavita Srivastava (@kavisriv) September 25, 2021
સૂત્રોએ જણાવ્યું હતુ કે, કલમા ભસીન 1970 ના દાયકાથી ભારત તેમજ અન્ય દક્ષિણ એશિયાના દેશોમાં મહિલા આંદોલનનો અગ્રણી અવાજ રહ્યો છે. 2002 માં, તેમણે નારીવાદી નેટવર્ક ‘સંગત’ ની સ્થાપના કરી, જે ગ્રામીણ અને આદિવાસી સમુદાયની વંચિત મહિલાઓ સાથે કામ કરે છે. તેણીએ ઘણી વખત નાટકો, ગીતો અને કલા જેવા બિન-સાહિત્યિક માધ્યમોનો ઉપયોગ કરીને સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે કામ કર્યું. ભસીને નારીવાદ અને પિતૃસત્તાને સમજવા માટે ઘણા પુસ્તકો લખ્યા છે, જેમાંથી ઘણાનો 30 થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે.