ધાર્મિકઃ ગાયત્રી શક્તિપીઠ અંજાર દ્વારા આયોજિત 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ સમારોહ યોજાયો
આ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ભાવિક ભક્તોએ બોળી સંખ્યામાં લાભ લીધો હતો
Apr 22, 2022, 12:59 IST
અટલ સમાચાર, ડેસ્ક
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તથા ગાયત્રી શક્તિપીઠ અંજાર દ્વારા આયોજિત 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ એવમ સંસ્કાર સમારોહ આયોજન કરવામાં આવ્યું હતુ. આ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ ભાવિક ભક્તોએ બોળી સંખ્યામાં લાભ લીધો હતો .
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
આ સારા પ્રસંગમાં પ્રસાદીનું પણ સારુ એવું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રસાદમાં મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, નગરપાલિકાના પ્રમુખ, લીલાવંતી બેન અંજાર નગરપાલિકાના વિપક્ષ નેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા , કાઉન્સિલર સુરેશ ભાઈ ઓઝા, ગાયત્રી પરિવારના કાર્યમાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો અંજાર ગાંધીધામ ના ટ્રસ્ટી શ્રીઓ ગાયત્રી શક્તિપીઠ અંજારના પરિજનો એ તન-મન ધન થી જહેમત ઉઠાવી હતી.