દુર્ઘટનાઃ વિમાન વાવાઝોડામાં ફસાતાં 40 જેટલા મુસાફરો ઘાયલ થયા, 10ની સ્થિતિ ગંભીર

સીટ બેલ્ટની સાઈન ઓન કરવા પર ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી, સાથે જ તમામ મુસાફરોએ પોતાની સીટ પર પહોંચી જવું જોઈતું હતું, જોકે આ બધી બાબતોને અવગણવામાં કરવામાં આવી હતી.
 
વિમાન

અટલ સમાચાર, ડેસ્ક

 
મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, વિમાન દુર્ગાપુર સ્થિત કાજી નજરલ ઈસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે એ વાવાઝોડામાં ફસાયું હતું. એ પછી ફ્લાઈટ ડગમગતાં કેબિનમાં રાખવામાં આવેલો સામાન પડવા લાગ્યો હતો, એને પગલે લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
 
એક રિપોર્ટ મુજબ, પાયલોટે ખતરાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સાઈન ઓન કરી દીધી હતી. એ પછી પણ ફુડ ટ્રોલી સાથે અથડાવાથી બે પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે સીટ બેલ્ટની સાઈન ઓન કરવા પર ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી, સાથે જ તમામ મુસાફરોએ પોતાની સીટ પર પહોંચી જવું જોઈતું હતું, જોકે આ બધી બાબતોને અવગણવામાં કરવામાં આવી હતી.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ફ્લાઈટ લેન્ડ થઈ કે તરત જ ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ આ ઘટના અંગે અફસોસ જાહેરાત કરતાં ઘાયલોને શક્ય તેટલી તમામ મદદ કરવાની વાત કહી છે.

શું છે કાલ બૈસાખી?
એપ્રિલ અને મેમાં પૂર્વ ભારતમાં વાદળોની ગર્જનાની સાથે વીજળી પડવી અને ઝડપી હવા ફૂંકાવવી એ સામાન્ય ઘટના છે. એને કાલ બૈસાખી અથવા તો નોર્વેસ્ટર કહે છે. કાલ બૈસાખીની અસર ઝારખંડ, બિહાર, પં.બંગાળ અને ઓડિશામાં જોવા મળે છે. આ ઘટના મોટા ભાગે વૈશાખ મહિનામાં થાય છે, આ કારણે એને કાલ બૈસાખી કહેવામાં આવે છે.