ઉત્તર ગુજરાત: શહીદોને શ્રધ્ધાંજલિ આપવા ઠેર-ઠેર રેેલી-કેન્ડલ માર્ચ
અટલ સમાચાર,મહેસાણ,પાટણ,પાલનપુર,હિંમતનગર
પુલવામામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા રાજય સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર શ્રધ્ધાંજલી આપવા માટેના કાર્યકમો યોજાયા હતો હજારોની સંખ્યામાં લોકોએ આ કેન્ડલ માર્ચમાં હાજર રહી લોકોને શ્રધ્ધાંજલી આપી હતી.
કાંકરેજ:
બનાસકાંઠાના શિહોરી ખાતે ગુરૂવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે શુકવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી હતી. કાંકરેજના શિહોરી ખાતે બનાસ કોમ્પલેક્ષમાં મૌન પાળી શહિદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને સ્થાનિકો જોડાયા હતા.
વાવ:
વાવ તાલુકાના ખાનપુર ગામે પુલવાવામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સિધ્ધપુર:
સિદ્ધપુરમાં ઠેરઠેર જગ્યાએ ભારતીય યુવાનો શહીદ થયા છે.જે યુવાનો ને શ્રધ્ધાંજલી આપ ને 2 મિનિટ મૌન ધારણ કરીને શાંતિ અર્પણ કરી હતી.
હિંમતનગર:
હિંમતનગરના ગાંભોઈ ગામે આવેલ હાઈસ્કૂલો, પ્રાથમિક શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વેપારી મંડળ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ જવાનોને રેલી યોજી,મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સાબરકાંઠા:
પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા પોશીના-હિંમતનગર સજ્જડ બંઘ સ્થાનિકોએ રહયુ હતુ.
શંખેશ્વર:
પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ઠાકોર સેના અને ઠાકોર વિકાસ સંઘ દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી હતી. આ આતંકવાદી દ્વારા કરેલ ઘટનાને વખોડી કાઢી હતી. અને સરકારને ભાષણ-બાજી બંધ કરીને એક્શન લેવા અપીલ કરી હતી. આ કેંડલ માર્ચમાં શંખેશ્વર ઠાકોર સેનાના પ્રભારી રાણાજી ઠાકોર,જામાજી ઠાકોર, હેમુજી ઠાકોર અને ઠાકોર વિકાસ સંઘના ઉપપ્રમુખ સુરાજી ઠાકોરને કોંગ્રેસ યુવા અગ્રણી વિનોદજી ઠાકોર,રમેશજી ઠાકોર,મનુજી ઠાકોર, ભેમાજી ઠાકોર, જેરાજી ઠાકોર, કેતન ઠાકોરને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના કાર્યકરોને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુર:
પાલનપુર શહેરમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાલનપુરના નાગરિકોએ બંધ પાળી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી.
બેચરાજી :
મહેસાણાના બેચરાજી ખાતે પણ લોકોએ બંધ પાળી શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી.