બિનખેતીના કેસો નિકાલ કરવા કલેકટરોમાં સ્પર્ધાનું વાતાવરણ બનાવો : વિજય રૂપાણી

અટલ સમાચાર,ગાંધીનગર એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને તાકિદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને તાકિદ કરી છે. આ સંદર્ભમાં તેમણે જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે
 
બિનખેતીના કેસો નિકાલ કરવા કલેકટરોમાં સ્પર્ધાનું વાતાવરણ બનાવો : વિજય રૂપાણી

અટલ સમાચાર,ગાંધીનગર

એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને તાકિદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ઓનલાઇન એન.એ.ની સંપૂર્ણ પ્રક્રિયા ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરી મંજૂરી પત્રો આપી દેવાય તેવી કાર્યપધ્ધતિ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરોને તાકિદ કરી છે.
આ સંદર્ભમાં તેમણે જિલ્લા કલેકટરોને સ્પષ્ટપણે જણાવ્યું કે ઓનલાઇન એન.એ.નો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તે મહત્વપૂર્ણ રિવોલ્યુશન – ક્રાંતિકારી બની રહ્યો છે.
જિલ્લા કલેકટરો પ્રો-એકટીવ બનીને આ સીસ્ટમ સરળ બનાવે તથા અરજીઓનું ઓછામાં ઓછું રિજેકશન થાય તે તરફ ધ્યાન કેન્દ્રીત કરે તે આવશ્યક છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી જિલ્લા કલેકટરો સાથે ઓનલાઇન એન.એ, અછત, પાણી-ઘાસચારો, અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસિડી સહાય તેમજ ગરીબ કલ્યાણ મેળા અને ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
વિજય રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો વચ્ચે ઓનલાઇન એન.એ ઝડપી નિકાલની સ્પર્ધા થાય તેવું વાતાવરણ બનાવી પેન્ડન્સી લેવલ ઝડપથી નીચું આવે તે માટે પ્રેરક આહવાન પણ કર્યુ હતું.

બિનખેતીના કેસો નિકાલ કરવા કલેકટરોમાં સ્પર્ધાનું વાતાવરણ બનાવો : વિજય રૂપાણીમુખ્યમંત્રીએ આવી પરવાનગી માટેની અગાઉની ૯૦ દિવસની સમયમર્યાદા હવે ટેકનોલોજીના ઉપયોગ અને સંપૂર્ણ પારદર્શીતાથી માત્ર ૮ થી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાની પણ જિલ્લા તંત્રને સૂચના આપી હતી.

૭/૧ર ના ઉતારા સ્કેન કરવાની પ્રક્રિયા જે હાલ ચાલી રહી છે તે માટે ટેકનીકલ સજ્જતા વ્યાપક બનાવી એ કાર્યવાહીમાં પણ ગતિ લાવવાના સૂચનો આ સમીક્ષા દરમ્યાન કર્યા હતા.
વિજય રૂપાણીએ રાજ્યના ૯૬ અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને ઇનપૂટ સબસીડી માટેની પ્રક્રિયામાં ગતિ લાવવા સૂચવતાં કહ્યું કે, આગામી તા. ૧પ જાન્યુઆરી પહેલાં આવી સબસિડીના ફોર્મ એકત્ર કરી લેવાય અને રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલા હેકટર દિઠ સહાયના ધોરણે ચૂકવણીની પ્રક્રિયા પણ ઝડપી બનાવીએ.
તેમણે અછતગ્રસ્ત જિલ્લા તાલુકાઓમાં પશુધન માટે ઘાસચારો, મનરેગાના કામો અને સમગ્ર રાજ્યમાં પીવાના પાણીની સ્થિતી અંગે પણ વિસ્તૃત ચિતાર મેળવ્યો હતો.
કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ઘાસચારો, પાણીની સ્થિતી અને મનરેગાના કાર્યોની વિગતો પણ મેળવી હતી.
મુખ્યમંત્રીએ આગામી તા.૩૦ જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં મગફળી સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂરવઠા વિભાગ, કૃષિ વિભાગ અને જિલ્લાતંત્રો સાથે મળીને પૂર્ણ કરે તેવી સૂચનાઓ પણ આપી હતી.
તા. ૩ જાન્યુઆરીથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે તે સંદર્ભમાં જિલ્લા કલેકટરોને લાભાર્થીઓની યાદી અને સહાય-સાધન વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શીતાથી ગોઠવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે આ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરોને બધી જ કાર્યપધ્ધતિમાં ગતિ લાવીને મુખ્યમંત્રી અને રાજ્ય સરકારની અપેક્ષા પૂર્ણ કરવાના પ્રેરક સૂચનો કર્યા હતા.