RBIએ વ્યાજ દર ઘટાડ્યોઃ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને RBIએ ખુશખબરી આપી

RBIએ વ્યાજ દર ઘટાડ્યોઃ RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ હટાવ્યો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને આરબીઆઈએ ખુશખબરી આપી
 
RBIએ વ્યાજ દર ઘટાડ્યોઃ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને RBIએ ખુશખબરી આપી

RBIએ વ્યાજ દર ઘટાડ્યોઃ RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ હટાવ્યો
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને આરબીઆઈએ ખુશખબરી આપી

ભારતીય રિઝર્વ બેંકે મૌદ્રિક સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના બીજા કાર્યકાળમાં આરબીઆઈની પ્રથમ મૌદ્રિક સમીક્ષા બેઠક હતી. રેપો રેટમાં ઘટાડો થવાથી લોન લેવી વધુ સસ્તી થશે. રેપો રેટ 6.0%થી ઘટીને 5.75%, રિવર્સ રેપો રેટ 5.75%થી ઘટીને 5.50% કરવામાં આવ્યો છે. 2018-19ના ચોથા ત્રિમાસિકમાં આર્થિક વૃદ્ધિ દર પાંચ વર્ષના નીચલા સ્તર પર આવી ગયો છે. જેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે.
આ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં લોકોને આરબીઆઈએ ખુશખબરી આપી છે. રિઝર્વ બેંકે RTGS અને NEFT ટ્રાન્ઝેક્શન પર લેવામાં આવતો ચાર્જ હટાવી દીધો છે. હવે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે કોઇ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. ATM ઈન્ટરચેંજ ચાર્જને લઈ એક કમિટી બનાવવામાં આવશે. જેનું નેતૃત્વ IBAના CEO કરશે.
રિઝર્વ બેંક મુજબ જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહેવાનો અંદાજ છે. આ પહેલા આરબીઆઈએ 7.2 ટકાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય બેંકે 2019-20ના પ્રથમ છ માસ માટે મોંઘવારી દર 3 થી 3.1 ટકા સુધી રહેવાનું અનુમાન વ્યક્ત છે.

RBIની જાહેરાત બાદ ઓનલાઇન ફંડ ટ્રાન્સફરને વધારે વેગ મળશે તેમજ RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવાનું રસ્તું બનશે. આરબીઆઈની જાહેરાત બાદ બેંકના ગ્રાહકો ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે પ્રેરાશે અને બેંકો પરનું ભારણ હળવું થશે. આરબીઆઈ તરફથી આ અંગે અઠવાડિયામાં સર્ક્યુલર જાહેર કરવામાં આવશે. RTGS લાખો રૂપિયા એક સાથે ટ્રાન્સફર કરવાનું સરળ માધ્યમ છે.