આદેશ@ગુજરાત: હાઇકોર્ટે ગૃહ રાજ્યમંત્રી સામેની આચારસંહિતાની ફરીયાદ રદ્દ કરી

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટેંમાંથી રાહત મળી છે. વર્ષ 2007માં આચારસંહિતા ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી નાંખી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો, જેને પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર આજે સૂનાવણી થતા હાઈકોર્ટે મોટો આદેશ કર્યો છે. 2007માં આચારસંહિતા ભંગની નોંધાયેલી
 
આદેશ@ગુજરાત: હાઇકોર્ટે ગૃહ રાજ્યમંત્રી સામેની આચારસંહિતાની ફરીયાદ રદ્દ કરી

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટેંમાંથી રાહત મળી છે. વર્ષ 2007માં આચારસંહિતા ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી નાંખી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે હુકમ કર્યો હતો, જેને પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર આજે સૂનાવણી થતા હાઈકોર્ટે મોટો આદેશ કર્યો છે. 2007માં આચારસંહિતા ભંગની નોંધાયેલી ફરિયાદ રદ્દ કરતા જાડેજાએ હાશકારો અનુભવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શુ હતો સમગ્ર મામલો ?

વર્ષ 2007માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીસસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ હતી. નવરાત્રિ દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હોવાની તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસહિતાનો ભંગની ફરિયાદ કરી હતી.

જેમાં ચૂંટણી ચાલતી હોવા છતાં પ્રદીપસિંહે પ્રચાર કરતા પેમ્ફલેટ વેચ્યા હતા. અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેમા નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો હતો. કલેક્ટરે ગંભીરતાથી નોંધ લઇને અસારવાની ચૂંટણીપંચની કચેરીને કોર્ટમાં અરજી કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ 30 ડિસેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો.