પાલનપુર: અંગત અદાવતમાં વરઘોડા દરમિયાન પટેલ અને ઠાકોર વચ્ચે ઘર્ષણ

અટલ સમાચાર, ડીસા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરઘોડા દરમિયાન બબાલ થઇ છે. પાલનપુર નજીક સલ્લા ગામે અંગત અદાવતમાં પાટીદાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં બંને વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થતાં ગામમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક સલ્લા ગામે સામાજીક પ્રસંગમાં
 
પાલનપુર: અંગત અદાવતમાં વરઘોડા દરમિયાન પટેલ અને ઠાકોર વચ્ચે ઘર્ષણ

અટલ સમાચાર, ડીસા

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર વરઘોડા દરમિયાન બબાલ થઇ છે. પાલનપુર નજીક સલ્લા ગામે અંગત અદાવતમાં પાટીદાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં બંને વચ્ચે સામસામે પથ્થરમારો શરૂ થતાં ગામમાં તંગદીલી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક સલ્લા ગામે સામાજીક પ્રસંગમાં ઝગડો થયાનું સામે આવ્યું છે. અગાઉની અદાવતમાં લગ્ન પ્રસંગે નિકળેલા વરઘોડામાં પટેલ અને ઠાકોર સમાજના ઈસમો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ જતાં બે વ્યકિતઓ ઇજાગ્રસ્ત થયા હતા.

ગામનું સામાજિક વાતાવરણ ડહોળાઈ જતાં અને પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં પોલીસે ગામમાં પહોંચી મામલો શાંત કરાવ્યો હતો. આ દરમિયાન બંને સમાજના ઈસમોએ સામસામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પટેલ સમાજના પરિવાર સાથે ઠાકોર સમાજના કોઈ પરિવારને અંગત અદાવત હોઇ વરઘોડા દરમિયાન બબાલ થઇ ગઇ હતી.