પાલનપુર: ગઢ ITI ખાતે 27 જુને રોજગાર ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર દ્રારા તા.27-06-2019 ના રોજ સવારે-10.00 કલાકે સ્કાયનેટ આઇ.ટી.આઇ.કોલેજ,ખસા રોડ,મુ.પો.ગઢ તા.પાલનપુર ખતે બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા માગતા 18 થી 35 વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી.-એચ.એસ.સી-આઇ.ટી.આઇ.,
 
પાલનપુર: ગઢ ITI ખાતે 27 જુને રોજગાર ભરતી મેળો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી,પાલનપુર દ્રારા તા.27-06-2019 ના રોજ સવારે-10.00 કલાકે સ્કાયનેટ આઇ.ટી.આઇ.કોલેજ,ખસા રોડ,મુ.પો.ગઢ તા.પાલનપુર ખતે બનાસકાંઠા જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસે ખાલી રહેલ નોકરી માટેની જગ્યાઓ ભરવા માટે ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં ભાગ લેવા માગતા 18 થી 35 વર્ષની ઉંમરના તેમજ એસ.એસ.સી.-એચ.એસ.સી-આઇ.ટી.આઇ., સ્નાતકની લાયકાત ધરાવનાર ઉમેદવારોને તેમની ઉંમર,જાતિ અને શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ અને બાયોડેટાની ત્રણથી ચાર નકલો સાથે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. ભરતી મેળા અંતર્ગત આપવામાં આવતી સેવા નિ:શુલ્ક છે તેમ જિલ્લા રોજગાર અધિકારી પાલનપુરે જણાવ્યુ છે.