પાલનપુર સદરપુર રોડના રાહદારીઓ-વાહનચાલકો પરેશાનઃ તંત્રના ભરોષે પરેશાની

અટલ સમાચાર, વડગામ પાલનપુર નજીક આવેલા સદરપુર ચોકડીથી ખોડિયાર મંદિર સુધી આવેલા ઉબડ-ખાબડ રસ્તાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી પાલનપુર શહેરના ખોડીયાર મંદીરથી સદરપુર જવાના માર્ગ પર ગોકળ ગાયની ગતિએ ચાલતું ભૂગર્ભ ગટર લાઈનનું કામ પણ બે ફિકરાઈથી થઈ રહ્યું છે. લોકોના ઘર આંગણે ગટરનું પાણી ભરાઈ રહેતા બીમારીનો
 
પાલનપુર સદરપુર રોડના રાહદારીઓ-વાહનચાલકો પરેશાનઃ તંત્રના ભરોષે પરેશાની

અટલ સમાચાર, વડગામ

પાલનપુર નજીક આવેલા સદરપુર ચોકડીથી ખોડિયાર મંદિર સુધી આવેલા ઉબડ-ખાબડ રસ્તાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

છેલ્લા કેટલાય સમયથી પાલનપુર શહેરના ખોડીયાર મંદીરથી સદરપુર જવાના માર્ગ પર ગોકળ ગાયની ગતિએ ચાલતું ભૂગર્ભ ગટર લાઈનનું કામ પણ બે ફિકરાઈથી થઈ રહ્યું છે. લોકોના ઘર આંગણે ગટરનું પાણી ભરાઈ રહેતા બીમારીનો ગંભીર પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવાછતાં તંત્રના પેટનુ પાણી હાલતુ નથી.

સદરપુરથી પાલનપુર સિટીને જોડતો આ માર્ગ જાહેર જનતા માટે વર્ષોથી ખુલ્લો હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી વચ્ચે કોઈ જ ડાઈવર્ઝન આપ્યા વગર વચ્ચે આડશો મૂકીને બંધ કરવામાં આવ્યો છે. જેનાથી વાહનચાલકો અને આમ જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આ વિસ્તારના લોકોની માંગણી છે કે સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે નહિતર નાછૂટકે ખોડીયાર મંદિર વિસ્તારના સ્થાનિક લોકો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન છેડવાના મુડમાં હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે. ત્યારે તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા સત્વેર આ વિસ્તારની સમસ્યા નિવારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.