પાલનપુરની સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાઃ ચોરી કરી રફુચક્કર
અટલ સમાચાર, વડગામ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના માનસરોવર નજીક આવેલા ભાગ્યોદય સોસાયટીમાં રાત્રીના સમયે એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમો પ્રવેશ કરી મકાનમાં પડેલ સોના-ચાંદીના દાગીના સહીત રુપિયા ત્રણ લાખ ઉપરાંતની ચોરી કરાઇ હોવાની ફરીયાદ પોલીસ મથકે નોધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પાલનપુર શહેરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતા નયનાબેન હેમંતકુમાર ભટના મકાનમાં
Jan 15, 2019, 20:37 IST
અટલ સમાચાર, વડગામ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરના માનસરોવર નજીક આવેલા ભાગ્યોદય સોસાયટીમાં રાત્રીના સમયે એક બંધ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમો પ્રવેશ કરી મકાનમાં પડેલ સોના-ચાંદીના દાગીના સહીત રુપિયા ત્રણ લાખ ઉપરાંતની ચોરી કરાઇ હોવાની ફરીયાદ પોલીસ મથકે નોધાવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર પાલનપુર શહેરના ભાગ્યોદય સોસાયટીમાં રહેતા નયનાબેન હેમંતકુમાર ભટના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહીત ત્રણ લાખ ઉપરાંતના મુદામાલની ચોરી કરીને અજાણ્યા ચોર રફુચકકર થઈ ગયા છે. ચોરીની જાણ થતા પૂર્વ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.