પાટણઃ ક્ષત્રિય યુવક સંઘ દ્વારા બાલિકા સ્નેહમિલન શિબિર યોજાશે

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લામાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સમાજની બાલિકાઓમાં સંસ્કારીતાનું સિંચન કરવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા પ્રાન્ત સહિત ઉત્તર ગુજરાતની બાલિકાઓ મોટી સંખ્યામાં પધારશે. શ્રી ક્ષત્રિય યુવક સંઘ પાટણ જિલ્લાના પારેવીયા વીર મંદિર મહેમદપુર ખાતે 8 સપ્ટેમ્બર 2019ને સવારે 9 થી 3 કલાક સુધી સ્નેહમિલન શિબિર કાર્યક્રમ યોજાનાર છે.
 
પાટણઃ ક્ષત્રિય યુવક સંઘ દ્વારા બાલિકા સ્નેહમિલન શિબિર યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લામાં ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સમાજની બાલિકાઓમાં સંસ્કારીતાનું સિંચન કરવા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા પ્રાન્ત સહિત ઉત્તર ગુજરાતની બાલિકાઓ મોટી સંખ્યામાં પધારશે.

શ્રી ક્ષત્રિય યુવક સંઘ પાટણ જિલ્લાના પારેવીયા વીર મંદિર મહેમદપુર ખાતે 8 સપ્ટેમ્બર 2019ને સવારે 9 થી 3 કલાક સુધી સ્નેહમિલન શિબિર કાર્યક્રમ યોજાનાર છે. પૂ.તનસિંહજી દ્વારા સમાજ ઉત્થાન અને સંસ્કારને જાળવી રાખવા 73 વર્ષ પહેલા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જે જ્યોત આજ સુધી અવિરત ચાલુ રહી છે. અને ભારતભરમાં ફેલાઈ ચુકી છે.  ગામે-ગામ નગરે-નગર સ્નેહમિલન તથા શિબીર દ્વારા સામુહિક કર્મપ્રણાલીથી યુવા અને યુવતિઓના સંસ્કાર નિર્માણનું ભગીરથ કાર્ય આજ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા ચાલી રહ્યું છે.

વર્તમાન સામાજિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સંસ્કાર સિંચન હેતુ ક્ષત્રિય બાલિકાઓ તથા મહિલાઓ માટે એક દિવસીય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કાર નિર્માણના આ યજ્ઞમાં ક્ષત્રાણી બાલિકાઓને પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.