પાટણ: ૨૭ જૂનના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર,પાટણ પાટણ જિલ્લાનો “સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૭/૦૬/૧૯ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા જિલ્લાલ કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજૂઆત કરવા માંગતા હોય તેઓને પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.૧૦/૦૬/૨૦૧૯ સમય ૧૬-૦૦ કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં
 
પાટણ: ૨૭ જૂનના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાનો “સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” જિલ્લા કક્ષાએ કલેકટર કચેરી, પાટણ ખાતે તા.૨૭/૦૬/૧૯ના રોજ ૧૧-૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા જિલ્લાલ કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજૂઆત કરવા માંગતા હોય તેઓને પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમ્યાન તા.૧૦/૦૬/૨૦૧૯ સમય ૧૬-૦૦ કલાક સુધી કલેકટર કચેરી, પાટણ ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાનો રહેશે અને અરજદારે જાતે “સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં” ઉપરોકત તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયીક કે અર્ધ ન્યારયીક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ આ માટે એક અરજીમાં એકજ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે, તેમ પાટણના નિવાસી અધિક કલેકટરે જણાવ્યુ છે.