પાલનપુરમાં વહીવટીતંત્ર ઘ્વારા જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
અટલ સમાચાર,પાલનપુર પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ ગઇ. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત જિલ્લાના ૨૧ ગામો/પરાઓની રૂ. ૧૮૮.૮૪ લાખની પાણી માટેની નવીન યોજનાઓને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં પાણી સમિતિ દ્વારા વિતરણ વ્યવસ્થા અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પાણીની સુચારૂ વ્યવસ્થા જાળવવા કલેકટરે સંબંધિત અધિકારીઓને જરૂરી
Jan 1, 2019, 18:37 IST
અટલ સમાચાર,પાલનપુર
પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ ગઇ. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત જિલ્લાના ૨૧ ગામો/પરાઓની રૂ. ૧૮૮.૮૪ લાખની પાણી માટેની નવીન યોજનાઓને સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં પાણી સમિતિ દ્વારા વિતરણ વ્યવસ્થા અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પાણીની સુચારૂ વ્યવસ્થા જાળવવા કલેકટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
બેઠકમાં પાણી પુરવઠા વિભાગના અધિક્ષક એમ.ડી.ઠક્કર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.હડીયલ, કાર્યપાલક ઇજનેર ગુપ્તા, વાસ્મોના અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.