રાજકારણ@દેશ: જમ્મુ-કાશ્મીરમાં આજે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, કયા મંત્રીઓ રહેશે હાજર? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમય પછી નવી સરકાર બનવા જઈ રહી છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા આજે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં સવારે 11.30 વાગ્યે યોજાશે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા મંત્રીમંડળના સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. ઓમર અબ્દુલ્લા પહેલીવાર કેન્દ્રશાસિત પ્રદેશમાં અને બીજી વખત જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.
જમ્મુ-કાશ્મીરના નવનિર્મિત મંત્રિમંડળમાં મુખ્યમંત્રી સહિત માત્ર 10 મંત્રીઓ હોઈ શકે છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનમાં, કોંગ્રેસને કેબિનેટમાં સ્થાન મળવાની શકયતા છે.ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળ જમ્મુ-કાશ્મીની નવી સરકારના કેબિનેટ મંત્રીઓના નામો તૈયાર થઈ ગયા છે. કેબિનેટમાં કુલ 10 મંત્રીઓ હોવાની સંભાવના છે, જેમાં સાકીના ઇતુ, સૈફુલ્લાહ મીર, અબ્દુલ રહીમ રાથર, અલી મોહમ્મદ સાગર, સુરિન્દર ચૌધરી, ફારૂક શાહ, નઝીર અહેમદ, અને અહેમદ મીરનો સમાવેશ થાય છે. આ મંત્રીઓ સાથે જ ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની સરકારને મજબૂત બનાવશે.
આજે શ્રીનગરમાં યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ઈન્ડિયા એલાયન્સના કેટલાક અગ્રણીઓ હાજરી આપશે. શપથ સમારોહમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અને કેસી વેણુગોપાલ હાજર રહેશે. આ સાથે જ NCPના સુપ્રિયા સુલે અને CPIના દીરાજા પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવય સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ શ્રીનગર પહોંચી ગયા છે અને તેઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.