રાજકારણ@દેશ: ભાજપના જ ધારાસભ્યએ મોદી સરકારને આપી ચેતવણી, શું કહ્યું? જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપના જ ધારાસભ્યએ પોતાની જ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.ધારાસભ્ય મિશ્રાનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો 2027માં યુપીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં બની શકે. આ પાછળ તેમણે તર્ક પણ આપ્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી કેન્દ્ર આ મામલે હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી સરકાર નહીં બને. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
મિશ્રાએ એમ પણ કહ્યું કે અધિકારીઓ અહંકારી બની ગયા છે અને જનતાની ફરિયાદો સાંભળતા નથી. તેઓ જનપ્રતિનિધિઓને પણ માન આપતા નથી અને મનમાની કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય નેતૃત્વએ હસ્તક્ષેપ કરીને મોટો નિર્ણય લેવો પડશે. તો જ કંઈક થશે અને ઉત્તર પ્રદેશમાં ફરી સરકાર બનશે. અન્યથા વર્તમાન માહોલ પરથી લાગે છે કે 2027માં પણ સરકાર નહીં બને. ભાજપના ધારાસભ્યએ મોદી સરકારને ચેતવતા કહ્યું કે લોકસભા ચૂંટણી દરમિયાન પીડીએને લઈને સમાજવાદી પાર્ટી દ્વારા ફેલાવાયેલો ભ્રમ દૂર કરવો પડશે. મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે બેઠક કરીને આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. અગાઉ શુક્રવારે ભાજપ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી મોતી સિંહે પણ આવું જ નિવેદન આપ્યું હતું.