રાજકારણ@ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરીણામ બાદ ઈસુદાન ગઢવીનું ચોકાવનારૂ નિવેદન

35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરીણામ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કાર્યકર્તાઓનો અને જનતાનો આભારો માન્યો હતો. આ સાથે ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે, આવનારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 8000થી વધુ ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારશે. સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે.
આમ આદમી પાર્ટીએ અલગ અલગ નગરપાલિકાઓમાં 500થી વધુ સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. તેમાંથી લગભગ 35થી વધુ સીટો પર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આમ આદમી પાર્ટીને રોકવા માટે ભાજપ દ્વારા અનેક ષડયંત્ર રચવામાં આવ્યા અને સામ-દામ દંડ ભેદની નીતિથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને બેસાડી દેવાની કોશિશ કરવામાં આવી હતી.
ઘણી જગ્યાએ ખોટી રીતે ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા અને ડરાવવા ધમકાવવામાં પણ આવ્યા. તેમ છતાં પણ આમ આદમી પાર્ટીએ 35થી વધુ મહત્વપૂર્ણ સીટ પર જીત હાસિલ કરી અને ઘણી નગરપાલિકાઓમાં વિપક્ષની મુખ્ય ભૂમિકાઓમાં પણ આમ આદમી પાર્ટી રહેશે. સલાયા નગરપાલિકામાં સૌથી ચોકવનારા પરીણામ આવ્યા છે. જેમાં સલાયા નગરપાલિકામાં 7 વોર્ડની ગણતરી પુર્ણ થઇ છે. અહીં 28 ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસનો 28 માંથી 15 બેઠકો પર ભવ્ય વિજય થયો છે.