રાજકારણ@ગુજરાત: આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

 
દિનેશ કાચડીયા

હવે તેમના રાજીનામાંથી સુરતમાં રાજકારણ ગરમાયું છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતા તેમણે કારણ જણાવતા કહ્યું કે, પાર્ટીમાં તેમની કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી તેઓ પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.ગુજરાતમાં ‘આમ આદમી પાર્ટી’ને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુરજાત AAP માં પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ પાર્ટીના તમામ પદ પથી રાજીનામું આપી દીધું છે.

પ્રદેશમંત્રી દિનેશ કાછડીયાએ રાજીનામું આપવાની સાથે ચોંકાવનારૂ કારણ પણ જણાવ્યું છે. રાજીનામામાં તેમણે લખ્યું કે, ‘રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમ જ છેલ્લા એક વર્ષના મારા આ પાર્ટી સાથેના કાર્યાનુભવોને જોતાં AAP, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામું આપું છું’ દિનેશ કાછડીયા સુરત મહાનગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.

જ્યારે વર્તમાનમાં તેઓ સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી પદની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેમના રાજીનામાંથી સુરતમાં રાજકારણ ગરમાયું છે અને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ્દ થતા, લોકો પાસેથી મતાધિકાર છીનવી લેવાના આરોપ સાથે દિનેશ કાછડીયાએ નિલેશ કુંભાણી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેનશમાં ફરિયાદ કરી હતી. દિનેશ કાછડીયાએ આરોપ લગાવ્યો હતો કે, નિલેશ કુંભાણીએ સુરતની જનતા સાથે દગો કર્યો છે.